SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભણાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર રહેલી સહાય મળતી. પણ એવી નજીવી ૨કમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી થાય ? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઈન્દિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ. ઈન્દિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણે ‘પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ' એ વિષય ઉપર એક સચિત્ર પુસ્તક તૈયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણે આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણે બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો. [23] ૨૩ મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતા તે દરમિયાન એમ.ટી.બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણે બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજ્જતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂંક કરવાની અપવાદરૂપે છૂટ એમ.ટી.બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણાં ઊંડા ઊતરતા અને તેમાં લેખનઅધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા. હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હંમેશા ઘણાં જ ઓછાં રહ્યાં છે. આથી ઈતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy