SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા [25] ૨૫ હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાલા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈનધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુસાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઈમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઈએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજીદાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવણ્યસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યો-પ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું.” પરંતુ ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા. એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સુરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઈત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત્ હતી. તેમાં વળી આવા સંશોધન લેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું ઈનામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થયેલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલું થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમના પત્ની ઈન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લક્ષ્મી (ઇન્દિરાનો એક અર્થ લક્ષ્મી) પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સૂતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઇની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત્ રહી હતી. સૂરતમાં એમને ઘેર જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy