SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૩ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ તો એમાં પ્રથમ પ્રકારના સૂત્રપાઠમાંનાં અડધાં ઉપરનાં સૂત્રો એનાં એજ છે. આ દિ. ગુણનંદિ તે કાં’તો દિ. વીરનંદિની ગુરુપરંપરામાં થયેલા પ્રથમ ગુણનંદિ (વિ. સં. ૯૫૯) હશે અથવા દિ. ઝૈવિદ્ય મેઘચન્દ્રના ગુરુ ગુણનંદિ (વિ. સં. ૧૧૭૨) હશે. ૧૨ એના ઉપર બે ટીકા છેઃ (૧) શબ્દાર્ણવ-ચન્દ્રિકા અને (૨) શબ્દાર્ણવ-પ્રક્રિયા—અ બંનેમાં એકશેષ પ્રકરણ છે. શબ્દાર્ણવચન્દ્રિકાના કદિ. સોમદેવ છે અને એમણે આ ટીકા દિ. મેઘચન્દ્રના પ્રશિષ્ય હરિચન્દ્રને માટે શકસંવત્ ૧૧૨૭માં રચી છે. શબ્દાર્ણવપ્રક્રિયા–આ ઉપર્યુક્ત ચન્દ્રિકાને આધારે શ્રુતકીર્તિના પુત્ર અને શિષ્ય ચારુકીર્તિએ રચી હોય એમ લાગે છે. આ પ્રક્રિયા જૈનન્દ્ર—પ્રક્રિયા એ નામથી સ. જૈ. ગ્રં. માં ગ્રંથાંક પાંચ તરીકે ઈ. સ. ૧૯૧૪માં છપાઈ છે, અને એના કર્તા તરીકે ગુણનંદિનું નામ છપાયું છે, પણ ભૂલ છે એમ પં. નાથુરામ પ્રેમીનું કહેવું છે. ભગવદ્વાન્ગ્વાદિની– (લ.વિ.સં. ૧૭૯૭) આ રત્નર્ષિ નામના કોઈ મુનિની રચના છે. એમાં જૈનેન્દ્ર વ્યાકરણ અંગે શબ્દાર્ણચન્દ્રિકાના કર્તાઓ માન્ય રાખેલો ૮૦૦ શ્લોકપ્રમાણ કેવળ સૂત્રપાઠ છે. (જુઓ. જૈ.સા.ઈ. પૃ. ૧૨૫) આની વિશેષતા એ છે કે દેવનન્દિ જૈનેન્દ્ર વ્યાકરણના કર્તાનથી પરંતુ ભ.મહાવીરસ્વામિ છે એમ સિદ્ધ કરવા એમાં પુષ્કળ પ્રયાસ કરાયો છે. જુઓ હૈ.સા.ઈ. પૃ. ૧૧૫. કારિકા–જિનરત્નકોશ (ખંડ ૧, પૃ. ૭)માં આનંદવિમલના શિષ્ય વિજયવિમલે રચેલી અને સ્વોપજ્ઞ અવસૂરિથી વિભૂષિત કરેલી અનિશ્ર્વરાંતકારિકાની નોંધ છે. એ કારિકા જૈનેન્દ્ર વ્યાકરણને અંગેની છે એમ અહીં કહ્યું છે. આ કારિકાની તેમજ એની સ્વોપજ્ઞ અવસૂરિની એક હાથપોથી વિ. સ. ૧૬૨૮માં લખાયેલી મળે છે. વિશ્રાન્તવિદ્યાધર–(ઉ. વિ. સં. ૭૦૦) સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૩)માં આનો ‘જૈન’ વ્યાકરણ તરીકે ઉલ્લેખ છે, પણ એમ માનવા માટે કોઈ પ્રમાણ અપાયેલું જણાતું નથી તેમ મને પણ એવું કોઈ પ્રમાણ મળ્યું નથી. જિ. ૨. કો. (ખંડ ૧)માં આ વ્યાકરણની કોઈ હાથપોથી નોંધાઈ નથી. એ ઉ૫૨થી પણ એવી સંભાવના થઈ શકે કે આ જૈન વ્યાકરણ નહિ હોય. બીજી રીતે વિચારતાં આ વ્યાકરણનો જૈન કૃતિઓમાં અવતરણપૂર્વક નિર્દેશ છે તેમજ આને ‘જૈન’ વ્યાકરણ માનવામાં બાધક ગણાય એવું કોઈ પ્રમાણ હજી સુધી તો મને મળ્યું નથી. આથી હું એનો અહીં વિચાર કરું છું. વિશ્રાન્તવિદ્યાધરના કર્તા વામન છે. આ હકીકત ગ. ૨. મ. (પૃ. ૨)માં સ્પષ્ટપણે કહેવામાં આવી છે. વિશેષમાં એના પૃ. ૧૬૮માં ‘વામન’નો ‘સહ્રદયચક્રવર્તી' તરીકે ઉલ્લેખ છે. આના પૃ. ૨૩૭ ઉપરથી એ જાણવા મળે છે કે વામને પોતાના વ્યાકરણ ઉપર બૃહવૃત્તિ રચી હતી. આથી એવું અનુમાન દોરાય કે એમણે લઘુવૃત્તિ પણ રચી હશે. મૂળ વ્યાકરણની પેઠે આ બે વૃત્તિઓ પણ હજી સુધી તો મળી આવી નથી. ૧. આવી પરિસ્થિતિને લઈને કેટલાક આ જ વ્યકારણને જૈનેન્દ્ર કહે છે તે વાત ઘટાવી શકાય. ૨. આના સંપાદક શ્રીલાલ જૈન છે. ૩. જુઓ હૈ. સા. ઈ. (પૃ. ૧૧૪). ૪. જિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષ્મની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૯૦ અ)માં વિશ્રાન્તનો ઉલ્લેખ કર્યો છે. તે વિશ્રાન્તવિદ્યાધર હશે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy