SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : વ્યાકરણ : પ્રિ. આ. ૧૮-૨૨] અસલી સૂત્રપાઠની ટીકાઓ–અસલી સૂત્રપાઠ ઉપર નીચે મુજબની ટીકાઓ રચાઈ છે -- (૧) “સ્વપજ્ઞ ન્યાસ. (૪) પ્રભાચંદ્રકૃત શબ્દાંભોજભાસ્કર (૨) ભાષ્ય. નામનો વાસ. (૩) અભયનંદિકૃત મહાવૃત્તિ (૫) આર્ય શ્રુતકીર્તિકૃત પંચવસ્તુ-પ્રક્રિયા. સ્વોપ ન્યાસ અને ભાષ્ય-આજે આ બેમાંથી એકે ઉપલબ્ધ નથી, પરંતુ પંચવસ્તુના કર્તાએ નીચે મુજબની મતલબનો જે ઉલ્લેખ કર્યો છે તે તેમજ અસલી સૂત્રપાઠનું સંજ્ઞા વગેરેથી ઉદ્ભવતું લાઘવ જોતાં એ હોવો જોઈએ એમ લાગે છે : જૈનેન્દ્ર-વ્યાકરણ એ પ્રાસાદ છે, એનાં મૂળ સૂત્ર એ એના સ્તંભ છે, એનો ન્યાસ એ એની રત્નમય > ૨૧ ભૂમિ છે, એની વૃત્તિ એ એનાં દ્વાર છે, એનું ભાષ્ય એ એનું અધ્યાતલ છે, એની ટીકા એ એનો માળ છે, અને આ પંચવસ્તુ ટીકા એ એ પ્રાસાદ ઉપર પહોંચવા માટેનું સોપાન છે. મહાવૃત્તિ-આના કર્તા અભયનંદિ છે. એ દિ. રાજવાર્તિકકાર અકલંક પછી અને દિ. શ્રુતકીર્તિની પહેલાં કોઈક સમયે થયા હોય એમ લાગે છે. આ મહાવૃત્તિ લગભગ ૧૨000 શ્લોક જેવડી છે અને ઉપલબ્ધ ટીકાઓમાં એ સૌથી પ્રાચીન જણાય છે. શબ્દાંભોજભાસ્કર-આ ન્યાસનું પરિમાણ આશરે ૧૬૦૦૦ શ્લોક જેટલું હશે. આની રચના અભયનંદિકૃત મહાવૃત્તિને અનુલક્ષીને દિ. પ્રભાચ કરી છે. એમનો સમય ઈ. સ. ૯૮૦થી ૧૦૬૫ સુધીનો હોવાનું અનુમાન પં. મહેન્દ્રકુમારે પ્રમેયકમલમાર્તડવી પ્રસ્તાવના (પૃ. ૬૭)માં કર્યું છે. આ ન્યાસમાં પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચંદ્રનો જે રીતે ઉલ્લેખ છે તે વિચારતાં આ બેના કર્તા તે જ જાસકાર છે એમ જણાય છે. આ ચાસ હજી સુધી તો પૂરો મળ્યો નથી. અ. ૪, પા. ૩, સૂ. ૨૧૧ સુધીનો જ ન્યાસ અત્યારે તો મળે છે. શું આ ન્યાસ પૂરો નહિ રચાયો હોય ? પંચવસ્તુ–આ પ્રક્રિયાક્રમને અનુસરનારી ટીકા છે. એનું પરિમાણ લગભગ ૩૩૦૦ શ્લોક જેટલું છે. મે ૨૨ એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. એના કર્તા આર્ય શ્રુતકીર્તિ હોય એમ જણાય છે, અને એમનો સમય વિક્રમની બારમી સદી હોવાનું મનાય છે. શબ્દાર્ણવ-જૈનેન્દ્ર વ્યાકરણના પ્રથમ પ્રકારના સૂત્રપાઠને અપૂર્ણ જોઈ, એને સર્વોગે પરિપૂર્ણ બનાવવા માટે દિ. આચાર્ય ગુણનંદિએ પ્રયાસ કરી એને વિસ્તૃત બનાવ્યો તેનું ફળ તે શબ્દાર્ણવ-વ્યાકરણ છે. આથી ૧. અષ્ટસહસ્ત્રી (પૃ. ૧૩૨) માં “ગણે ભુપટ્ટીનાત્'' એવું જે અવતરણ અપાયું છે એ અષ્ટા.ના વાર્તિકમાં નથી તો એ સ્વોપજ્ઞ ન્યાસનું હશે. ૨.દિ. ૫. મહાચંદ્ર લઘુ જૈનેન્દ્ર નામની કૃતિ મહાવૃત્તિને આધારે રચી છે અને દિ. પં.બંશીધરે જૈનેન્દ્ર-પ્રક્રિયા રચી છે. ૩. આ મહાવૃત્તિ ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રસિદ્ધ છે.] આ ટીકાના આધારે દિ. પં. રાજકુમારે લઘુવૃત્તિ રચી છે, અને એ બનારસથી ઈ. સ. ૧૯૨૪ માં પ્રકાશિત થઈ છે. ४."तदात्मकत्वंचार्थस्याध्यक्षतोऽनुमानादेश्च यथा सिद्ध्यति तथा प्रपञ्चतः प्रमेयकमलमार्तण्डे न्यायकुमुदचन्द्रे च प्ररूपितमिह દ્રષ્ટવ્યમ્'' ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૭૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy