SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૨૨-૨૬] વામનનો સમય નક્કી કરવા માટેનું પ્રબળ સાધન એમના આ વ્યાકરણ ઉપર ન્યાય રચનાર B ૨૪ મલવાદીના સમય ઉપર અવલંબે છે. મલવાદી બે થયા છે એટલે એ પૈકી આ કોણ છે તેનો નિર્ણય કરાતાં વામનના સમયનો અંતિમ નિર્ણય થઈ શકે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૪)માં તો એમને ‘પ્રથમ મલ્લવાદી” માની વામનના સમય માટે વિ. સં. ૪00 અથવા તો વિ. સં. ૬૦૦ થી પ્રાચીન એમ બે વિકલ્પ દર્શાવાયા છે. વિશ્રાન્તવિદ્યાધર વ્યાકરણ આજે મળતું નથી, પરંતુ એનાં અનેક સૂત્રો ગ. ૨. મ.માં ઉદ્ધત કરાયાં છે.' આ નામના વૈયાકરણનો ઉલ્લેખ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ સિ. હે. (૧-૪-૫૨)ના સ્વપન્ન બૃહવ્યાસ (પૃ. ૨૬૩)માં કર્યો છે.” ચાસ-આપણે ઉપર જોઈ ગયા તેમ મલ્લવાદીએ વિશ્રાંત-વિદ્યાધર ઉપર ચાસ રચ્યો છે. પ્ર. ચ. (મલ્લવાદિ-પ્રબંધ, ઈંગ ૧૦ શ્લો. ૩૮)માં વિશ્રાન્તવિદ્યાધર નામના શબ્દશાસ્ત્રનો અને એના ઉપર ન્યાસ રચનારા તરીકે પ્રથમ મલવાદીનો-મહાતાર્કિકનો ઉલ્લેખ છે. હરિભદ્રસૂરિએ અનેકાન્ત જયપતાકામાં અ. ૧, પૃ. ૫૮માં ને એ. ૨, પૃ. ૧૧૬માં આ મલવાદીએ રચેલી સમ્મઈપયરણની ટીકામાંથી એકેક અવતરણ આપ્યું છે. એ હિસાબે આ મલ્લવાદી એમના પૂર્વગામી ઠરે છે. સિદ્ધસેન દિવાકર એમના વિદ્યાગુરૂ હશે એવી ? ૨૫ સંભાવના કરાય છે. એ ઉપરથી આપણે એમને વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં થયેલા માની શકીએ. જો એઓ બીજા મલવાદી હોય તો એઓ ન્યાયબિન્દુની અટીકાના ટિપ્પણકાર ગણાય, અને એ હિસાબે એઓ ઈ. સ.ની આઠમી સદીમાં થયેલાં મનાય. કલિ0” હેમચન્દ્રસૂરિએ સિ. હે.ની સ્વપજ્ઞ ટીકામાં આ ચાસમાંથી ઉદ્ધરણ આપ્યાં છે." ગ. ૨. મ. (પૃ. ૭૧ ને ૯૨)માં વિશ્રાન્તવિદ્યાધરના ન્યાસનો ઉલ્લેખ છે. (“શાકટાયન) શબ્દાનુશાસન-(લ. વિ. સં. ૯૦૦)-મુગ્ધ બોધના કર્તા પ. બોપદેવે ધાતુપાઠમાં જે આઠ વૈયાકરણોનાં નામ ગણાવ્યાં છે તેમાં શાકટાયનનું પણ નામ છે. આ નામના એક વૈયાકરણ તો પાણિનિથી જ નહિ પણ યાસ્કની પણ પૂર્વે થઈ ગયા છે. અહીં જે શાકટાયન પ્રસ્તુત છે તેઓ તો “જૈન” છે. એમનું વાસ્તવિક નામ પાલ્યકીર્તિ છે એમ દિ. વાદિરાજસૂરિત પાર્શ્વનાથચરિત વગેરે જોતાં જણાય છે. એમનું શાકટાયન' એવું નામ તો પાછળથી પડ્યું જણાય છે. નંદીની ટીકા(પત્ર ૧૬૮)માં મલયગિરિસૂરિએ ૧. આ ઉપરથી જોઈ શકાશે કે લુપ્ત થયેલા ગ્રંથો ઉપર પ્રકાશ પાડવામાં પણ જૈન ગ્રંથો સહાયક થઈ પડે તેમ છે. આથી પણ જૈન ગ્રંથોનો પરિશીલનપૂર્વક વિસ્તૃત પરિચય કરાવનાર પુસ્તકની આવશ્યકતા સિદ્ધ થાય છે. ૨. જુઓ સિ. હે.ની શ્રી વિજયલાવણ્યસૂરિએ વિ. સં. ૨૦૦૭માં સંપાદિત કરેલી આવૃત્તિ. ૩. આધુનિક વિદ્વાનોના મોટા ભાગની માન્યતા મુજબ એમનો સમય વિ. સં. ૭૫૭-૮૨૭ છે. શ્રી યુધિષ્ઠિર મીમાંસક તો એમને વિ. સં. ૭૫૭થી પ્રાચીન માને છે, અને એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮૫માં થયાની જૈન શ્રુતિ-પરંપરાને સમુચિત ગણે છે. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨). ૪. આ ટીકાના કર્તા બૌદ્ધ આચાર્ય ધર્મોત્તર છે. ૫. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨) ૬. અભયચંદ્રકૃત શાકટાયન-પ્રક્રિયા સંગ્રહ સહિત આ વ્યાકરણ જેષ્ઠારામ મુકુંદજીએ મુંબઈથી ઈ. સ. ૧૯૦૭માં પ્રકાશિત કર્યું છે. ૭. મેં જે પત્રાંક આપ્યો છે તે તો આગમોદય સમિતિ તરફથી ઈ. સ. ૧૯૨૪માં છપાયેલી આવૃત્તિનો છે. જૈ. સા. ઈ.માં પત્રક તરીકે ૨૩નો ઉલ્લેખ અને આનંદબોધિની વૃત્તિ સહિતની સિ. હે.ની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. “ખ')માં ૧૫નો ઉલ્લેખ છે તો એ નંદી (સટીક)ની કઈ કઈ આવૃત્તિઓને અંગે છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy