SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૨૬ એમને યાપનીય યતિઓના સમુદાયના અગ્રણી કહ્યા છે, અને એમના સ્વપજ્ઞ શબ્દાનુશાસનની નિમ્નલિખિત પ્રારંભિક પંક્તિ પણ રજુ કરી છે : "श्रीवीरममृतं ज्योतिर्नत्वाऽऽदिं सर्ववेधसाम्" આ શાકટાયને પોતાના શબ્દાનુશાસન ઉપર અમોઘવૃત્તિ રચી છે. વળી એમણે સ્ત્રીમુક્તિકેવલિભુક્તિ–પ્રકરણ રચ્યું છે. રાજશેખરે કાવ્યમીમાંસામાં પાલ્યકીર્તિનો મત નોંધ્યો છે. એ ઉપરથી એમણે કોઈ અન્ય સાહિત્યિક કૃતિ પણ રચી હોય એમ ભાસે છે. આ સિદ્ધાંતજ્ઞ અને તાર્કિક (અભિનવ) શાકટાયન નૃપતિ અમોઘવર્ષના સમકાલીન છે. એ હિસાબે એમનો સમય વિ. સં. ૮૭૧ થી ૯૨૪ની આસપાસનો ગણાય. શાકટાયન વ્યાકરણ- મંગલ-શ્લોકથી શરૂ થતું આ વ્યાકરણ ચચ્ચાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત છે. આમ આમાં જે સોળ પાદ છે તેની સૂત્ર-સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૧૮૦, ૨૨૩, ૧૯૫, ૧૨૩, ૨૨૯, ૧૭૨, ૧૧૩, ૨૩૯, ૨૦૧, ૨૨૭, ૨૮૧, ૧૪૬, ૨૭૧, ૨૬૧, ૨૮૯ અને ૧૮૬.આમ અહીં એકંદર ૩૩૩૬ સુત્રો છે. (શાકટાયન) શબ્દાનુશાસનમાં ચાર અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાયમાં ચચ્ચાર પાદ છે. બધું મળીને ૩૩૩૬ સૂત્રો છે. આ વ્યાકરણ એવી રીતે રચાયું છે કે ઈષ્ટિ અને ઉપસંખ્યાનની આવશ્યકતા રહેતી નથી. ‘જે અહીં નથી તે અન્યત્ર પણ નથી એવું વિધાન પણ આને અંગે યક્ષવર્માએ કર્યું છે. આ શબ્દાનુશાસનમાં આર્યવજ, ઇન્દ્ર અને સિદ્ધનંદિ એમ ત્રણ પૂર્વાચાર્યોનો ઉલ્લેખ છે. છેલ્લા બે “યાપનીય' હશે અને પહેલા તો સુપ્રસિદ્ધ વજસ્વામી હશે કે જેમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૫૮૪માં થયો છે. તિલોયપત્તિમાં જે વિજયશ નામના અંતિમ પ્રજ્ઞાશ્રમણનો ઉલ્લેખ છે તે આ વજસ્વામી હશે.” P ૨૭ સ્વોપજ્ઞ અમોઘવૃત્તિ-શાકટાયને પોતાના શબ્દાનુશાસનની ઉપર આ વૃત્તિ રચી છે. એના નામગત “અમોધ' શબ્દ અમોઘવર્ષ નામના નૃપતિનો સૂચક છે. આ વૃત્તિનું પરિમાણ લગભગ ૧૮૦૦૦ શ્લોક જેવડું છે. આ વૃત્તિમાં શ્વેતાંબર સાહિત્ય તરીકે સુપ્રસિદ્ધ આવશ્યક “કાલિકસૂત્ર, છેદસૂત્ર' અને નિર્યુક્તિનોર ઉલ્લેખ છે. ૧. આ “જૈન સાહિત્ય સંશોધક” (ભા. ૨, એ. ૩-૪ ઇ.સ. ૧૯૨૫)માં છપાયું છે. પૂ. મુનિશ્રી જંબૂવિજય મ. એ સંશોધિત. સંપાદિત થઇ પ્રગટ થયેલ છે.] ૨. આ વ્યાકરણ યક્ષવર્માએ રચેલી ચિન્તામણિ નામની લઘુવૃત્તિ સહિત તેમજ સૂત્રપાઠ, અમોઘવૃત્તિમાંથી ઉદ્ધત અને સિદ્ધાન્તકૌમુદી પ્રમાણે સંસ્કારિત કરેલા ગણપાઠ, સૂત્રની અકારાદિ ક્રમે સૂચી, ધાતુપાઠ, તથા ધાતુપાઠની અનુક્રમણિકા સહિત ડૉ. જગન્નાથપ્રસાદે ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ ૩. જે સૂત્ર અને વાતિકથી સિદ્ધ ન થાય, પરંતુ ભાખ્રકારના પ્રયોગાદિ વ્યવહારથી સિદ્ધ થાય તેને “ઈષ્ટ' કહે છે. ૪. વ્યાસ અને બાણની કૃતિ માટે પણ આમ કહેવાય છે. પ-૭.જુઓ અનુક્રમે ૧-૨-૧૩, ૧-૨-૩૭ અને ૨-૧-૨૨૯. ૮. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૬૨) ૯. જુઓ ૧-૨-૨૦૩ અને ૧-૨-૨૦૪ ની વૃત્તિ. ૧૦. જુઓ ૩-૨-૪૭ ની વૃત્તિ. ૧૧. જુઓ ૪-૪-૧૩૩ ની વૃત્તિ. ૧૨. જુઓ ૪-૪-૧૪૦ની વૃત્તિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy