SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ર૬-૨૯] ૧૫ અહીં ‘૩પસર્વગુપ્ત વ્યાધ્યાતર:” એ ઉલ્લેખ દ્વારા સર્વગુપ્તને શ્રેષ્ઠ વ્યાખ્યાતા કહ્યા છે. એ આરાણા (આરાધના)ના કર્તા શિવાર્યના વિદ્યાગુરુ હશે.' વર્ધમાનસૂરિએ ગ. ૨. મ. (પૃ. ૮૨ અને પૃ. ૯૦)માં આ અમોઘવૃત્તિમાંથી ઉદ્ધરણ આપી એના કર્તા તરીકે શાકટાયનનો ઉલ્લેખ કર્યો છે. સર્વાનંદે અમરટીકા-સર્વસ્વમાં આ અમોઘવૃત્તિમાંથી પાલ્યકીર્તિના નામપૂર્વક ઉદ્ધરણ આપ્યું છે. - અમોઘવૃત્તિમાં “અહી વર્ષોડરાતી'' એવું ઉદાહરણ છે. અહીં જે અમોઘવર્ષનો ઉલ્લેખ છે એ જૈન વિદ્વાનોના આશ્રયદાતા અને શકસંવત્ ૭૩૬માં ગાદીએ બેસનારા નૃપતિ છે. આ ઉપરથી આ વૃત્તિની રચના શકસંવત ૭૩૬થી ૭૮૯ના ગાળામાં થઈ છે. એમ કહી શકાય. અમોઘવૃત્તિનો ન્યાસ-આના કર્તા દિ. પ્રભાચન્દ્ર છે અને તે પણ શબ્દાંભોજ ભાસ્કરના કર્તા છે એમ કેટલાક સોળમી સદીના શિલાલેખ અને કેટલીક કિંવદત્તીને આધારે માને છે, પંરતુ પ્રમેયકમલમાર્તડની P ૨૮ પ્રસ્તાવના (પૃ. ૬૮)માં પં. મહેન્દ્રકુમારે આ બાબત શંકાસ્પદ હોવાનું કહ્યું છે અને સાથે સાથે એ માટે નીચે મુજબનાં આઠ કારણો પણ એમણે રજૂ કર્યા છે :(૧) મંગલશ્લોક નથી તેનું શું? (૨) ગ્રંથમાં કોઈ સ્થળે પ્રભાચન્દ્રનું નામ નથી. (૩) પ્રસ્તુત ન્યાસ માટે કોઈ વિશિષ્ટ નામ ન્યાસકારે આપ્યું નથી. (૪) શાકટાયનની સ્ત્રીમુકિત અને કેવલિ–ભકિતને અંગેની માન્યતાઓનું ખંડન કરનાર કટ્ટર દિ. પ્રભાચન્દ્ર એ શાકટાયનના વ્યાકરણ ઉપર ન્યાસ રચે ખરા ? (૫) શાકટાયન માટે વપરાયેલાં ગૌરવશાળી વિશેષણોનું ન્યાસમાં સમર્થન છે તો પ્રભાચન્દ્ર તેમ કરે ખરા ? (૬) શાકટાયન-વ્યાકરણમાંથી, જૈનેન્દ્ર-વ્યાકરણની પેઠે પ્રભાચન્દ્રીય કૃતિમાં એક પણ સૂત્ર ઉદ્ધત કરાયું નથી તેનું શું? (૭) આ ચાસમાં પ્રભાચન્દ્રની કોઈ કૃતિનો કે એમની અન્ય કોઈ કૃતિમાં આ વાતનો ઉલ્લેખ નથી તેનું શું? (૮) શબ્દાંભોજભાસ્કર જેવી પ્રસન્ન શૈલી આ ન્યાસમાં નથી તેનું શું? આવી પરિસ્થિતિમાં પં. મહેન્દ્રકુમાર તો આ ન્યાસના કર્તા શાકટાયન જ હશે એવી કલ્પના કરવા પ્રેરાયા છે, અને પ્રભાચન્દ્રની જૈનૈન્દ્ર વ્યાકરણ ઉપરના ન્યાસકાર તરીકેની પ્રસિદ્ધિ શાકટાયનીય ન્યાસના કતાં મનાવવામાં કારણભૂત બની હશે એમ એમણે સૂચવ્યું છે. તેરમી સદીના લીલાશુક મુનિએ “દેવમૂ”ની પુરુષકાર ટીકા. (પૃ.૬૬)માં શાકટાયન-ન્યાસમાંથી ૨૯ અવતરણ આપ્યું છે, એ આ જ ન્યાસનું હશે, માધવીય ધાતુવૃત્તિમાં પણ ન્યાસમાંથી અવતરણ અપાયું છે.' - ચિન્તામણિ–આ ઉપર્યુક્ત વ્યાકરણની યક્ષવર્માકૃત લઘુવૃત્તિ છે. એના પ્રારંભમાં બાર પદ્યો છે. એનાં ત્રીજા અને ચોથા પદ્યમાં આ વ્યાકરણના કર્તા શાકટાયનની અને પાંચમા અને છઠ્ઠામાં એમના આ વ્યાકરણની પ્રશંસા છે. સાતમા પદ્યમાં અતિમહતી વૃત્તિના સંક્ષેપરૂપે આ લઘુવૃત્તિ રચ્યાનો ઉલ્લેખ છે. આ ૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૫૩). ૩. જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૪૩૮) ૨. એજન, પૃ. ૧૬૧. ૪. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy