SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૭૧-૨૭૪] ૧૬૯ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં ડુકના પુત્ર મહાદેવે રચેલી શબ્દસિદ્ધિવૃત્તિનો ઉલ્લેખ છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૩૪૦માં લખાયેલી છે. વળી આ પૃષ્ઠમાં ઉપા. વીરસિંહના શિષ્ય ગૌતમે 8000 શ્લોક જેવડી દૌર્મસિંહદીપિકા રચ્યાનો ઉલ્લેખ છે. પૃ. ૮૪માં ગોલ્ડણકૃત ચતુષ્કવૃત્તિનો મોક્ષેશ્વર (અજૈને ?) કૃત 'આખ્યાનવૃત્તિનો, પૃથ્વીચંદ્રસૂરિકૃત વૃત્તિનો અને એક અજ્ઞાતકર્તૃક વૃત્તિનો ઉલ્લેખ છે. બૂટિ.માં ૩૨૫ શ્લોક જેવડા કાલાપકવિશેષવ્યાખ્યાનની નોંધ છે. કલાપ-વ્યાકરણ-સંધિ-ગર્ભિત-સ્તવ-કલાપ વ્યાકરણનાં “સિદ્ધો વસમસ્નાય:” જેવાં સંધિસૂત્રની P ૨૭૩ પૂર્તિરૂપે આ સ્તવ ૨૩ પદ્યોમાં ઋષભદેવના ગુણોત્કીર્તનરૂપે રચાયેલો છે. અવચૂરિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. બાલશિક્ષા-આ ગુજરાતી ભાષા દ્વારા કાતત્ર નામનું સંસ્કૃત વ્યાકરણ શિખવવા માટેનું સાધન છે. એ સાઢાકના પુત્ર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહ વિ. સં. ૧૩૩૬માં કરેલી રચના છે. આ સંગ્રામસિંહ જૈન હશે એમ પં. લાલચન્દ્ર ભ. ગાંધીએ “બાલશિક્ષા” નામના એમના લેખમાં કહ્યું છે. એ હિસાબે આનો અહીં હું વિચાર કરું છું. પ્રારંભમાં પરબ્રહ્મને પ્રણામ કરી કર્તાએ આ વ્યાકરણના “પ્રક્રમ” નામના આઠ વિભાગોનાં નામ ગણાવ્યાં છે : (૧) સંજ્ઞા, (૨) સંધિ, (૩) સ્વાદિ, (૪) કારક, (૫) સમાસ, (૬) અન્યોક્તિ-વિજ્ઞાન, (૭) સંસ્કાર અને (૮) ત્યાદિ. સાતમાં પ્રક્રમમાં લગભગ ૬૦૦ ગુજરાતી શબ્દો એના સંસ્કૃત પર્યાય સાથે અપાયા છે. એમાંનાં ઘણાંખરાં ક્રિયાપદ છે. આ વ્યાકરણમાં શૃંગારતિલકાલંકાર, કુમારસંભવ, શિશુપાલવધ વગેરેમાંથી અવતરણ અપાયાં છે. સારસ્વત વ્યાકરણ– સામાન્ય રીતે આના કર્તા તરીકે અનુભૂતિ-સ્વરૂપાચાર્ય (વિ. સં. ૧૩00)નું નામ સૂચવાય છે, પણ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૫૩) પ્રમાણે તો એઓ આ વ્યાકરણની પ્રક્રિયાને સરલ કરનારા છે અને સારસ્વતના વાસ્તવિક કર્તાનું નામ તો નરેન્દ્રાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩) પ્રમાણે પણ અનુભૂતિસ્વરૂપાચાર્યે તો કોઈકે રચેલાં સરસ્વતી-સૂત્રોની પ્રક્રિયા રચી છે. ૨૭૪ *ભોજ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૬૫)–આના પ્રણેતા પાઠક વિનયસાગર છે. એઓ ‘વિધિ પક્ષના કલ્યાણસાગરસૂરિના શિષ્ય થાય છે. એમણે આ પદ્યાત્મક વ્યાકરણ કચ્છના રાજા નામે ભારમલ્લના ૧, ‘આખ્યાન' નહિ પણ “આખ્યાત’ જોઈએ. ૨. આ સ્તવ પ્રકાશિત છે ? 3. આને લઈને આપણે આ વિભાગને અકારાદિ ક્રમ વિનાના પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત કોશ તરીકે ઓળખાવી શકીએ ૪. આ વ્યાકરણ ઉમરસી રાયસીની વિધવા જેતબાઈએ વિ. સં. ૧૯૭૫માં મુંબઈથી પ્રકાશિત કર્યું છે. પ્રારંભમાં બે પાનાં જેટલો સંસ્કૃતમાં ઉપોદ્યાત છે. ૫. સંસ્કૃત ઉપોદઘાતમાં સૂચવાયું છે કે સુધર્મસ્વામીથી ૩૪મી પાટે આ સૂરિ થયા વિ. સં. ૧૬૫૮માં તેઓ હસ્તિનાપુરી આસપાસ વિહરતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy