SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૨૭૧ દુર્ગસિંહ ભારવિ મયૂરથી પૂર્વવર્તી નથી એમ ફલિત થાય છે. સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૪૦૯) પ્રમાણે આ દુર્ગસિંહ એ કાશિકાના કર્તા કરતાં પ્રાચીન છે. ચ. પ્ર. (વસ્તુપાલ-પ્રબંધ, પૃ. ૨૨૬)માં દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે. ભારતીય વિદ્યા” (વર્ષ ૨, એ. ૩)માં શ્રી, અગરચંદ નાહટાનો “નૈનેતર પ્રન્થો પર નૈન વિદ્વાનો ટીકાયે” નામનો લેખ છપાયો છે. એમાં એમણે કાતન્નને અંગે નવ વૃત્તિઓ નોંધી છે – (૧) દૌર્ગસિંહીવૃત્તિ – આ ૩OO0 શ્લોકની વૃત્તિના કર્તા પ્રદ્યુમ્નસૂરિ (વિ. સં. ૧૩૬૯) છે. (૨) દુર્ગપદપ્રબોધવૃત્તિ – આ ખરતર' ગચ્છના પ્રબોધમૂર્તિ (જિનપ્રબોધસૂરિ)ની વિ. સં. ૧૩૨૮ની રચના છે. (૩) બાલાવબોધવૃત્તિ- આ “અંચલ' ગચ્છના મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૪માં રચી છે. (૪) કાત–વિસ્તાર – આના કર્તા વર્ધમાન છે. કર્ણદેવોપાધ્યાય એ એમનું નામાંતર હશે એમ શ્રી અગરચંદ નાહટાએ કહ્યું છે. કાત–વિસ્તર- આના કર્તા કવિ વર્ધમાન છે અને એની ‘કન્નડ' લિપિમાં લખાયેલી ૧૩૪ પત્રની (પંક્તિ પ્રતિપત્ર પ, અક્ષર પ્રતિપંક્તિ ૩૬) હાથપોથી મળે છે એમ ક. તા. ઝં. (પૃ. ૧૦૭)માં ઉલ્લેખ છે. પૃ. ૩૨૨ પ્રમાણે આ કવિ વર્ધમાને શ્રીપાલચરિત રચ્યું છે. કાત–વિસ્તાર નામ સાચું છે કે કાત–વિસ્તર એ વાત બાજુ પર રાખીએ તો પણ આ કૃતિ કાતત્રના સ્પષ્ટીકરણરૂપ હશે એમ જણાય છે. P ૨૭૨ (૫) કાત–રૂપમાલા – આના કર્તા દિ. ઐવિદ્ય "ભાવસેન છે. (૬) કાત–રૂપમાલાલઘુવૃત્તિ – આના કર્તા દિ. સકલકીર્તિ છે. (૭) કાતન્નદીપકવૃત્તિ – આના કર્તા મુનીશ્વરસૂરિના શિષ્ય હર્ષચન્દ્ર હશે. (૮) કાતત્રભૂષણ – આ ૨૪૦૦૦ શ્લોક પૂરતી કૃતિના કર્તા ધર્મઘોષ છે. (૯) વૃત્તિત્રયનિબંધ – આ ૭000 શ્લોક જેવડી કૃતિના કર્તા રાજશેખરસૂરિ છે. [(૧૦) બાલાવબોધ– અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય મેરૂતુંગની આ કૃતિ છે. સત્તરભાસની ૧૪૪૯માં રચેલી ટીકામાં કર્તાએ આનો ઉલ્લેખ કર્યો છે.] ૧. આ જાતની ટીકાઓની સંક્ષિપ્ત નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૪, ૩૦૫ ૩૩૪ અને ૩૩૫)માં અપાયેલી છે. એને લક્ષ્યમાં રાખી મેં શોભન-સ્તુતિની મારી (સંસ્કૃત ભૂમિકામાં સુચવાયા મુજબ વીરસંવત્ ૨૪૫૪માં લખેલી) ભૂમિકા (પૃ. ૩૦ ૩૧)માં એની નોંધ લીધી છે. અહીં જે તર્કરહસ્યદીપિકાનો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે એટલે એ રદ કરવો ઘટે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં આનો “વૃત્તિવિવરણપંજિકાદુર્ગાદપ્રબોધ” તરીકે ઉલ્લેખ છે. ૩. આની એક હાથપોથી વિ. સં. ૧૪૫૩માં લખાયેલી છે. ૪. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં વર્ધમાનને રાજા કર્ણદેવના પુરોહિત કહ્યા છે અને શું એઓ જૈન છે એવો પ્રશ્ન ઉઠાવાયો છે. ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં એમની કૃતિ તરીકે રૂપમાલાવૃત્તિનો ઉલ્લેખ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે. ૬. આ સંખ્યા ખરી છે ? ૭. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં ત્રણ પૂર્વવર્તી ટીકાને આધારે ૩૧૦૦ શ્લોક જેવડી અને પદ્યમાં રચાયેલી કૌમારસારસમુચ્ચય નામની જે ટીકાનો ઉલ્લેખ છે તે તો આ નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy