SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ [80]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ચંદ્રરાજ- આની એક આવૃત્તિની નોંધ મેં પૃ.૧૩૬માં લીધી છે પણ એ આવૃત્તિની નકલ હજી સુધી તો મળી નથી. હાલમાં “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત યત્રરાજ નામનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એ ઉપરથી મેં “યત્રરાજનું રેખાદર્શન” નામનો લેખ લખી એમાં યગ્નરાજ અને એની મલહેંદુસૂરિકૃત ટીકા વિષે વિસ્તારથી વિચાર કર્યો છે. એ લેખ અત્યારે તો અપ્રકાશિત છે એટલે આને અંગે અહીં સંક્ષિપ્ત પરિચય આપું છું. ચન્નરાજ- નામની સંસ્કૃત કૃતિ પાંચ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭૩ (૭૧+૨), P-૭૭ ૭, ૨૮, ૩ અને ૬૭ પડ્યો છે. કર્તાએ આદ્ય પદ્યમાં પ્રસ્તુત કૃતિને સદ્યગ્નરાજગમ અને અંતિમ પદ્યમાં યત્રરાજાગમ કહી છે. પાંચે અધ્યાયોનાં નામ સાન્વર્થ છે. એ નીચે મુજબ છે. ગણિત, યત્નઘટના, યત્રરચના, યજ્ઞશોધન અને યગ્નવિચારણા. સર્વજ્ઞના ચરણકમળનો અને મદનસૂરિ નામના ગુરુનો હૃદયમાં પરામર્શ કરીને યત્રરાજની રચના કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં જ્યા, ક્રાન્તિ, ઘુમ્યાના ફળ, સૌમ્ય યત્ન અને યામ્ય યત્નને અંગે ઇષ્ટ અક્ષાંશોના ઉન્નત વલય-કેન્દ્રના વ્યાસાર્ધ. સાયન સૂર્ય દ્વારા બત્રીસ નક્ષત્રો અને પ્રવકો, નક્ષત્રોમાં દકકર્મ ઇત્યાદિ લાવવાની રીત દર્શાવાઈ છે. બીજા અધ્યાયમાં યંત્રની રચનાનો પ્રકાર વિચારાયો છે. | યંત્રના ભેદો તેમજ સૌમ્ય યંત્ર વગેરેને અંગે કેટલાંક સાધનોની સમજણ અપાઇ છે. ચોથામાં યના શોધનનો વિચાર કરાયો છે. પાંચમામાં ગ્રહો અને નક્ષત્રોનો અંશો લાવવાની રીત, બાર આગળના શક ઉપરથી સાત આગળના શકની તેમજ સાત આગળના શંક ઉપરથી બાર આગળના શંકની છાયા લાવવાની રીત તેમજ યંત્ર દ્વારા ભૌમાદિના ઉદય અને અસ્તનું જ્ઞાન એમ વિવિધ બાબતો વિચારાઈ છે. ટીકા- મલયેન્દુસૂરિએ આ સંસ્કૃત ટીકાની શરૂઆત એક પદ્યથી કરી છે. વળી પ્રત્યેક અધ્યાયને અંતે પણ એકેક પદ્ય છે. પાંચમા અધ્યાયને અંતે ત્રણ વધારાનાં પડ્યો છે. ટીકામાં વિવિધ કોષ્ટકો અપાયાં છે એથી એનું મહત્ત્વ વધ્યું છે. -હી. ૨. ૧. એમાં યત્રરાજ ઉપરની મલયેન્દુસૂરિએ રચેલી ટીકા, વિશ્રામકૃત યંત્રશિરોમણિ તેમજ ચૌદ યત્રને સ્થાન અપાયું છે. એનું સંપાદન અહીંના જોષી કષ્ણશંકર કેશવરામ રેફવેએ કર્યું છે. એમણે ટીકા થન્નરાજ તેમજ યત્રશિરોમણિનો સંસ્કૃતમાં વિષયાનુક્રમ આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy