SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [79] ૭૯ તા. ક. (૧) “અનુલેખ”માં વ્યાકરણ વગેરે જે જે વિષયની વધારાની કૃતિનો પરિચય મેં આપ્યો છે તે તે વિષયની જૈન કૃતિઓની સંખ્યામાં તે પ્રમાણમાં વધારો સમજી લેવાનો છે. (૨) સમગ્ર પુસ્તક તૈયાર કરી પ્રકાશન સંસ્થાને સોંપાયા પછી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો વગેરેને લગતા ઉલ્લેખો મેં આ ખંડના મુદ્રણ-કાર્ય દરમ્યાન કોઇ કોઇવાર કર્યા છે એટલો કાલાનુક્રમદોષ (Anachronism) હું સ્વીકારું છું. (૩) ઉપોદઘાતમાંનાં વિશેષ નામોને પરિશિષ્ટ ૧-૩ પ્રમાણે વિભક્ત કરી મેં એની સૂચી તૈયાર કરી છે પણ અત્યારે તો એ છપાવાય તેમ નથી. પૂર્તિ- ઉપધાતનું પૃ.૭૨ સુધીનું લખાણ છપાઇ ગયા બાદ મને અલંકારચંદ્રિકા અને P-૭૫ અલંકારચૂર્ણિની જે એ કે કે હાથપોથી જિ. ૨. કો. (ખંડ ૧, પૃ.૧૭)માં નોંધાયેલી છે તે શ્રીમાણિકયસાગરસૂરિજી પાસે જોવા મળી. અલંકારચંદ્રિકાની હાથપોથીનો ક્રમાંક ૨૩૮૦ છે. એમાં ૧૭ પત્ર છે. એમાં અપ્પય્ય દીક્ષિતે રચેલી મનાતી અને કાવ્યશાસ્ત્રને લગતી કુવલાયનન્દકારિકા નામની અજૈન કૃતિનું લક્ષ્યલક્ષણ' નામનું ૧૫૭ પદ્યનું પ્રથમ પ્રકરણ અપાયું છે. વિશેષમાં આ અજૈન કૃતિ ઉપર આશાધર ભટ્ટ અલંકારદીપિકા નામની જે વ્યાખ્યા રચી છે તેનું “પુષિ યુથો''થી શરૂ થતું પદ્ય એમાં પત્ર આ માં ત્રીજા પદ્ય તરીકે ગૂંથી લેવાયું છે. અંતમાં અપાયેલી પુષ્યિકામાં ભટ્ટ વિઠ્ઠલસૂરિના પુત્ર રામચંદ્રસરિના પુત્ર વૈદ્યનાથે અલંકારચંદ્રિકા રચ્યાનો ઉલ્લેખ છે. આ હાથપોથીમાં કુવલયાનન્દકારિકાના પદ્યો લખતી વેળા એની અલંકારચંદ્રિકા નામની ટીકા લખી શકાય એવી રીતે એ પદ્યો વચ્ચે કોરી જગ્યા રખાઈ છે ખરી પણ એ ટીકા એમાં લખાઈ નથી. એ ટીકા અનેક સ્થળેથી પ્રસિદ્ધ થયેલી છે. એ ટીકાના રચનાર અજૈન છે એટલે આ પુસ્તકમાં અલંકારચંદ્રિકાનો ઉલ્લેખ જે મેં પૃ.૧૭૮માં કર્યો છે તે રદબાતલ ગણી લેવો. [આ આવૃત્તિમાં દૂર કર્યો છે.] અલંકારચર્ણિની- હાથપોથીનો ક્રમાંક ૧૭૮૯ છે. એમાં બાર પત્ર છે. એ દરેક પત્રને બન્ને બાજુએ લગભગ ૩૨ અક્ષરની એકેક પંક્તિ એવી તેર પંક્તિઓ છે. આની પુષ્પિકા જોતાં આ કૃતિનું ખરું નામ અલંકારાવચૂરિ છે. આ અવસૂરિ ૩૫૦ શ્લોક જેવડી અને ઓછામાં ઓછા પાંચ પરિચ્છેદ પૂરતી કોઈ કાવ્યશાસ્ત્રવિષયક કૃતિની નાનકડી-૧૫૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. આ અવસૂરિમાં મૂળ કૃતિના પ્રતીક અપાયાં છે. પ્રારંભિક ભાગ નીચે મુજબ છે. ‘મથ() સીન વ્યાવિધ્યાસુદિ સાધુપ, યથા મોર્ચે નિતાત્તિપ્રકૃતિનાથપf P-95 सूपकारेण निष्पादितेऽपि निर्लवणं सत् अनास्वाद्यं अस्वादु स्यात् तथैव काव्यं कुशलकविकृतमपि शृङ्गारादिरसरहितं अनास्वाद्यं न चतुरचेतांसि चमत्करोति ॥" પત્ર પ-અમાં નીચે મુજબની પાંચમી પંક્તિ છે. "नायिकभेदानां लक्षणान्याह नीली० प्रियं०" વિશેષ પ્રતીકો એકત્રિત કરાતાં મૂળ કૃતિ શી છે તે જણાવા સંભવ છે પણ અત્યારે એ કાર્ય મારાથી થઇ શકે તેમ નથી. ગમે તેમ પણ આ અવસૂરિમાં એક સ્થળે (પત્ર-૧૨ અમાં) જિનનો ઉલ્લેખ છે અને આ ટીકાનો “અવચૂરિ' તરીકે નિર્દેશ છે એ જોતાં આ અવચરિ કોઈક જૈને રચ્યાનું ફલિત થાય છે. 9. Ovi DCGCM (Vol XII, p.182). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy