SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ P-૭૩ ૭૮ [78]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ રચના આવશ્યક ગણાશે એવું મારું નમ્ર મંતવ્ય છે. સાહિત્યની પ્રત્યેક નાની-મોટી નદીનાં યથાર્થ દર્શન કરાવનાર પુસ્તકો હોય તો એ ઉપરથી વિશ્વસાહિત્યરૂપ વિરાટ મહાસાગરનો પૂરતો ખ્યાલ મેળવવો સુગમ થઈ પડે એમ માની મેં આ દિશામાં યથામતિ પ્રયાસ કર્યો છે. એમાં જે ક્ષતિઓ અને ત્રુટિઓ જણાય તેના તરફ મારું સત્વર લક્ષ્ય ખેંચવા વિશેષજ્ઞો કૃપા કરશે તો અન્યત્ર એનો હું લાભ લઈ શકીશ અને અલનોનું પુનરાવર્તન થતું અટકશે. wણ-સ્વીકાર– જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો મને જે સુયોગ મળ્યો તે પ્રસ્તુત સંસ્થાના કાર્યવાહક મહાશયને મુનિશ્રી યશોવિજયજીએ કરેલી પ્રેરણાને અને એમના ગુરુવર્ય જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ આપેલી સંમતિને આભારી છે. આ પુસ્તકના પ્રકાશનથી જો એના અર્થીને લાભ થાય તો તે બદલ તેમણે આ સંસ્થાનો ઉપકાર માનવો ઘટે. આ સમગ્ર પુસ્તક (ત્રણ વિભાગ) તૈયાર કરવામાં આ ક્ષેત્રમાં મારા પુરોગામીઓને હાથે જે જે વિષયને અંગે સબળ રચનાઓ થઈ છે એ સમગ્ર સામગ્રીનો તો હું લાભ લઇ શક્યો નથી, પરંતુ જે જે કૃતિઓ મને એક યા બીજા સ્વરૂપે અલ્પ કે અધિક અંશે સહાયક નીવડી છે તેના પ્રણેતાઓનો તેમજ એના પ્રકાશકોનો વ્યક્તિગત ઉલ્લેખ કરી આભાર માનવાનું આ સ્થળે શકય નહિ હોવાથી હું એમનો સામુદાયિક સ્વરૂપે આભાર માનું છું. આ પુસ્તકમાં મેં જે અન્યાન્ય કૃતિઓનો તેમજ લેખો વગેરેનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી મેં શેનો શેનો શી શી રીતે ઉપયોગ કર્યો છે કે, તે વિષયના નિષ્ણાતોનું કહેવું પડે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તક માટે અમુક મર્યાદા નક્કી કરાયેલી હોવાથી એ વિષે હું ઉલ્લેખ કરતો નથી. આ સમગ્ર પુસ્તકના બંને ખંડનાં તમામ પ્રકરણોને તેમજ લલિત અને દાર્શનિક સાહિત્ય અંગેના વિભાગોને કયા ક્રમે રજૂ કરવા તે વિષે વિચારોની આપેલી કરવાની મને આવશ્યકતા જણાતાં એ કાર્યમાં મને અહીંની એમ ટી. બી. કોલેજના ભૂતપૂર્વ સંસ્કૃતના પ્રાધ્યાપક શ્રી મોહનલાલ પાર્વતીશકંર દવેએ સાનંદ સહકાર આપ્યો હતો એટલે એની હું અહીં સાભાર નોંધ લઉં છું. પરિશિષ્ટોનું લખાણ તપાસી જવામાં મને મુનિશ્રી સૂર્યોદયવિજયજીએ જે સહકાર આપ્યો હતો તે બદલ હું એમનો ઋણી છું. આ પુસ્તકના ત્રણે વિભાગની મુદ્રણાલય-પુસ્તિકા (Press-Copy) મારી પુત્રી ચિ. મનોરમા એમ. એ., બી. ટી. દ્વારા તૈયાર થઇ છે અને મારું મૂળ લખાણ એ સાથે મેળવી જવામાં અને પરિશિષ્ટો માટે નામોની તારવણી વગેરે કરવામાં મારી ધર્મ-પત્ની ઇન્દિરાએ મને સહાય કરી છે. આ બંને મારાં સ્વજનો હોઈ મારે એમનો ઉપકાર માનવો કે કેમ અને માનવો હોય તો શી રીતે એ પ્રશ્ન મને મુંઝવે છે એટલે આટલેથી જ હું વિરમું છું. P-૭૪ હીરાલાલ ૨. કાપડિયા સંકડી શેરી, ગોપીપુરા, સુરત ] વિક્રમ સંવત્-૨૦૧૨ અષાઢ કૃષ્ણ એકાદશી (તા. ૨-૮-'૫૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy