SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત [61] ૬૧ P-૪૨ ચિત્રકળા- લલિત કળા (Fine arts)ના વિવિધ પ્રકારો છે. એમાં જેમ સંગીત-કળા અને શિલ્પ-કળાને સ્થાને છે તેમ ચિત્રકળાને પણ છે. તેમ છતાં મેં વિષયો ગણાવતી વેળા એનો ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એ છે કે કેટલાં યે ચિત્રો કામોદ્દીપક અને સંસારવર્ધક બને તેમ હોવાથી મહર્ષિ બુદ્ધે પોતાના શિષ્યોને આ કળાથી અલિપ્ત રહેવા જેમ સૂચવ્યું હતું તેમ જૈન શ્રમણોને માટે પણ જૈન શાસ્ત્રમાં એવાં વિધાન જોવાય છે. આ પરિસ્થિતિમાં જૈન શ્રમણે તો શું પણ જૈન ગૃહસ્થ સુદ્ધાં સંસ્કૃતમાં કે પાઈયમાં ચિત્રકળા અંગે સ્વતંત્ર પુસ્તક રચ્યું હોય એમ જાણવામાં નથી એટલે એનો ઉલ્લેખ કયાંથી હોય ? બાકી આ આધુનિક સમયમાં તો જૈન ચિત્રકળાનો પરિચય આપનારાં સચિત્ર પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રકાશિત થયેલા જોવાય છે. એ પૈકી સોળ પ્રકાશનોની સૂચી “ખરતર' ગચ્છના ઉપાધ્યાય સુખસાગરજીના શિષ્ય મુનિશ્રી કાન્તિસાગરજીએ “વોન કી પાડયા' નામના પુસ્તક (પૃ. ૫૮-૫૯)માં આપી છે. (૧) વ્યાકરણ : ૩૦ નકૃતિઓ (વિ. સ. પૂર્વે ૬૪૬-લ. વિ.સં. ૧૮૦૦) આપણે માનવીઓ વિશ્વના જેટલા ભાગમાં આજે હરીફરી શકીએ તેમ છે. તેટલા ભાગમાં આધુનિક ગણતરી પ્રમાણે એશિયા વગેરે પાંચ ખંડમાં ઓછેવત્તે અંશે પ્રચલિત ભાષાઓની સંખ્યા ૨૮૦૦ છે. ભાષાના બંધારણનો બોધ કરાવવા માટે તેમજ તેમાં અનુચિત વિકૃતિ થતી અટકાવવા માટે વ્યાકરણની રચના આવશ્યક છે. કોઇપણ ભાષાનું વ્યાકરણ તે જ ભાષામાં રચાય એ સ્વાભાવિક ઘટના છે અને એ ભાષા બોલનારને માટે તો એ રાજમાર્ગ છે. આજકાલ આપણી દુનિયાના બંને છેડા આધુનિક સાધનોને લઇને પહેલાંની જેમ દૂર રહ્યા નથી. આ પરિસ્થિતિમાં કેટલીક ભાષાનાં વ્યાકરણો તે જ ભાષામાં ન રચાતાં અન્ય ભાષામાં પણ રચાયાં છે અને રચાય છે. કેટલીક ભાષા માટે આમ માધ્યમ (Medium) એક કરતાં વધારે છે. સંસ્કૃત ભાષાના બે પ્રકાર ગણાવાય છે. (૧) ઋવેદ વગેરેની ભાષા અને (૨) રઘુવંશ વગેરેની ભાષા. આ બંને પ્રકારની ભાષાને અનુક્રમે “વૈદિકસંસ્કૃત” અને “લૌકિકસંસ્કૃત” તરીકે ઓળખાવાય છે. વૈદિક સંસ્કૃત ભાષાનું સ્વતંત્ર અને સાંગોપાંગ વ્યાકરણ કોઈએ પણ-વૈદિક ધર્માવલંબીએ સુદ્ધાં-સંસ્કૃતમાં રચ્યું હોય એમ જણાતું નથી. આનું કારણ એ હશે કે આ ભાષામાં રચાયેલું સાહિત્ય ૧. સમવસરણનું ચિત્ર આજથી લગભગ બારસો વર્ષ ઉપર તો આલેખાતું એમ આવસ્મય અને એની નિષુત્તિ (ગા.૫૬૦)ની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર-૨૩૩ આ)માંનો નિમ્નલિખિત ઉલ્લેખ જોતાં જણાય છે. "पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ॥" ૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાયું છે. એમાં જૈનાશ્રિત ચિત્રકલા, બૌદ્ધ ધર્માશ્રિત ચિત્રકલા, મહાકોસલનાં જૈન-ભિત્તિ-ચિત્ર, ભારતીય શિલ્પ અને ચિત્રકલામાં કાષ્ઠનો ઉપયોગ અને રાજસ્થાનમાં સંગીત એ બાબતો આ પુસ્તકના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડ નામે “લલિતકલા”માં રજૂ થઈ છે. ૩. જુઓ ભગવદ્ગોમંડલ (ભા. ૭, પૃ.૬૬૯૯). આ ઇ. સ. ૧૯૫૩માં પ્રકાશિત ભાગમાં આ સંખ્યા “ફ્રેંચ એકેડેમિ' પ્રમાણે હોવાનો ઉલ્લેખ છે. ૪. વૈદિકભાષાનું વ્યાકરણ ગુજરાતીમાં પણ રચાયું હોય તેમ જાણવામાં નથી. અંગ્રેજીમાં તો આર્થર એન્વનિ મેડોનલે (Arthur Anthony Macdonell) A Vedic Grammar for Students રચ્યું છે અને એ ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે. વિલિયમ ડૂવાઇટ વ્હિટનિએ (William Dwight Whitney) A Sanskit Grammar રહ્યું છે. અને એની પહેલી આવૃત્તિ ઇ. સ. ૧૮૭૯માં અને પાંચમી આવૃત્તિ ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં વેદની અને બ્રાહ્મણની ભાષાઓનો પણ વિચાર કરાયો છે. P-૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy