SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૮૪-૨૮૭] ૧૭૭ અપભ્રંશનો પરિચય આપતાં નમિસાધુએ કહ્યું છે કે કેટલાક એના (૧) ઉપનાગર, (૨) આભીર અને (૩) ગ્રામ્ય એમ ત્રણ પ્રકાર ગણાવે છે, પરંતુ એના નિરસનાર્થે રુદ્રટે અપભ્રંશ ભાષાને અનેક પ્રકારવાળી કહી છે, કેમકે દેશો ઘણા હોવાથી એના ઘણા પ્રકાર સંભવે છે અને એ પ્રકારનાં લક્ષણ તે તે દેશના લોકો પાસેથી જાણી શકાય તેમ છે. (૨) નિબંધન–“સપાદલક્ષ' દેશથી નીકળીને માળવામાં ધારામાં રહી વિદ્યા પ્રાપ્ત કરનાર દિ. આશાધરે આ રચ્યું છે. આ આશાધરે સાગારધર્મામૃત અને અનગારધર્મામૃતની ટીકા અનુક્રમે વિ. સં. ૧૨૯૬ અને ૧૩૦)માં રચી છે. કાવ્યપ્રકાશ (લ. વિ. સં. ૧૧૧૦) – આના કર્તા મમ્મટ છે. એમણે દસ ઉલ્લાસમાં ૧૪૩ કારિકામાં કાવ્યશાસ્ત્રને લગતી બધી બાબતો સમાવી દીધી છે. જૈન સાહિત્યમાં ત. સૂ, વેદાંતમાં શારીરક-ભાષ્ય અને વ્યાકરણમાં મહાભાષ્ય જેમ વિવિધ વ્યાખ્યા અને નિરૂપણના વિષય બન્યા છે તેમ આ કાવ્યપ્રકાશને અંગે પણ બનવા પામ્યું છે. મમ્મટે કાવ્યપ્રકાશની કારિકાઓ ઉપર વૃત્તિ રચી છે. એમણે અન્ય ગ્રંથકારોની કૃતિઓમાંથી ? ૨૮૭ આશરે ૬૨૦ પદ્યો આપ્યાં છે. એમણે એમના પૂર્વગામી અભિનવગુપ્ત, વામન, રુદ્રટ, ભામહ, ઉદ્ભટ વગેરેની કૃતિઓનો ઉપયોગ કર્યો છે અને પ્રસંગવશાત્ એમનાથી ભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા છે. એમણે કાલિદાસ જેવાની કૃતિમાં પણ દોષ દર્શાવ્યા છે. “કલિ.” હેમચન્દ્રસૂરિએ આ કાવ્યપ્રકાશનો લાભ લીધો છે. એની રચના ઈ. સ. ૧૦૫૦થી ૧૧૦૦ના ગાળામાં થઈ હોય એમ લાગે છે. આના ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ રચાઈ છે : (૧) "સંકેત–“રાજ ગચ્છના સાગરચન્દ્ર મુનીન્દ્રનાં ચરણકમળને વિષે ભ્રમર સમાન માણિજ્યચન્દ્રસૂરિએ કાવ્યપ્રકાશના ઉપર આ સંકેત નામની ટીકા રચી છે. આ રચના ક્યારે થઈ એ બાબતમાં ત્રણ મત જોવાય છેઃ કેટલાક એને વિ સં. ૧૨૧૬ની રચના ગણે છે તો કેટલાક વિ. સં. ૧૨૪૬ની તો કેટલાક વિ.સં. ૧૨૬૬ની- સંકેતમાં રચના-સમય “રસ-વત્ર-ગ્રહાધીશ” એમ શબ્દાંક દ્વારા સૂચવાયો છે. જેઓ આ માણિજ્યચન્દ્રને વસ્તુપાલના સમકાલીન ગણે છે તેમને મતે વિ. સં. ૧૨૧૬ની સાલ બંધબેસતી થતી નથી. - મમ્મટના કાવ્યપ્રકાશ ઉપરની પ્રાચીન ટીકાઓમાંની એક તે આ સંકેત છે. એ જૈન ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. એમાં ભામહ, ઉદ્ભટ, દંડી, વામન, અભિનવગુપ્ત, મુકુલ, ભોજ વગેરેના અભિપ્રાયોનો ૧. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. તેમાં કેટલાંક મૂળ કૃતિ પૂરતાં તો કેટલાંક ટીકા સહિત મૂળ કૃતિનાં છે. આની નોંધ B C G C M (Vol. XII p. 58) માં છે. મૂળ કૃતિનો ગંગાધરનાથ ઝાએ કરેલો અંગ્રેજી અનુવાદ ઈ. સ. ૧૯૧૮માં છપાયો છે. ૨. કેટલાક અલટનો પણ નિર્દેશ કરે છે. ૩. નાટ્યશાસ્ત્રની વિવિધ બાબતોની વાત જુદી છે. જુઓ પૃ. ૧૬૮. ૪. વિશ્વનાથને મતે કારિકા અને વૃત્તિ એ બંનેના કર્તા મમ્મટ છે. જુઓ એમનું સાહિત્યદર્પણ (પરિ. ૬ અને ૭). ૫. આ સંકેત ટીકા “આનંદાશ્રમ ગ્રન્થાવલી”માં ગ્રન્થાંક ૮૯ તરીકે ઈ.સ. ૧૯૨૧માં અને “મહૈસુર સરકારની ગ્રન્થમાલા''માં ગ્રન્થાંક ૬૦ તરીકે ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy