SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ P. ૧૮૭ પ્રકરણ ૮ : સંગીતશાસ્ત્ર સંગીત સંબંધી લેખો–સંગીત એ અતિપ્રાચીન કાળની એક વિદ્યા છે–કળા છે અને એ આપણા તેમજ અન્ય દેશોમાં વિકસિત થયેલી છે. એનો સાંસારિક તેમજ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થયો છે અને થાય છે. જૈન તેમજ અજૈન જગતે એનો ભાવભીનો સત્કાર કર્યો છે અને એને અંગે વિવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. જૈન આગમો વગેરેમાં સંગીત સંબંધી કેટલાક ઉલ્લેખોની નોંધ મેં “સંગીત અને જૈન સાહિત્ય” નામના મારા લેખમાં લીધી છે. એ છપાયા બાદ, આ પૂર્વે આ સંબંધમાં બે લેખ લખાયાનું મને જાણવા મળ્યું છે - (૧) “ભારતીય સંગીતનું ઐતિહાસિક અવલોકન.” આના લેખક અધ્યાપક નારાયણ મોરેશ્વર ખરે છે. એમના આ લેખ (પુ. ૨, અં. ૧, પૃ. ૨૯-૩૫)માં જૈન સંગીત-સાહિત્યની ચર્ચા છે. (૨) કુછ નૈન ગ્રંથોમેં સંત-વર્યા. આના લેખક ડૉ. વી. રાઘવનું છે. સંગીત-સમયસાર' (લ. વિ. સં. ૧૩૫૦)- આના કર્તા અભયચન્દ્રના શિષ્ય મહાદેવાર્યના P ૧૮૮ શિષ્ય દિ. પાર્થચન્દ્ર છે. એમણે આ નવ અધિકરણમાં વિભક્ત કરેલી કૃતિમાં ભોજ, સોમેશ્વર અને પરમર્દી એ ત્રણ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે જ્યારે એમનો (પાર્શ્વચન્દ્રનો) નિર્દેશ સિંગભૂપાલે કર્યો છે. એ જોતાં એઓ ઈ. સ.ની ૧૩મી સદીમાં થઈ ગયેલાનું અનુમનાય છે. એમણે પ્રસ્તુત કૃતિમાં નાદ, ધ્વનિ સ્થાયી, રાગો, વાદ્ય, અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્વયોગ એમ વિવિધ બાબતો આલેખી છે. આ કૃતિમાં એમણે પ્રતાપ, દિગંબર અને શંકર એ ગ્રંથકારોનો ઉલ્લેખ કર્યો છે. સંગીતોપનિષદ્ (વિ. સં. ૧૩૮૦) અને સંગીતોનિષસારોદ્વાર (વિ. સં. ૧૪0૬)- આ બંનેના કર્તા રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશ છે. એમની વિ. સં. ૧૭૮૦માં રચાયેલી પહેલી કૃતિની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પરંતુ વિ. સં. ૧૪૦૬માં પ્રથમ કૃતિના સારરૂપે રચાયેલી બીજી કૃતિની હાથપોથીઓ મળે છે. એવી એકને આધારે ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજીએ એનો પરિચય આપતાં કહ્યું છે કે એમાં છ અધ્યાય છે અને એનાં નામ અને પ્રત્યેકની શ્લોક-સંખ્યા નીચે મુજબ છે :૧. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૦, અં. ૮)માં છપાયો છે. ૨. આ લેખ “પુરાતત્ત્વ” (પુ. ૧, અં. ૩ અને પુ. ૨, એ. ૧)માં બે કટકે છપાયો છે. ૩. “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા. ૭, અં. ૧)માં આ છપાયો છે. ૪. આ કૃતિ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા”માં ઈ. સ. માં છપાઈ છે. એનો પરિચય “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા. ૯, અં. ૨ ને ભા. ૧૦, અં. ૧)માં અપાયો છે. [“કુન્દકુન્દભારતી” દીલ્હીથી છપાયું છે. ઇ. સ. ૧૯૭૭] ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૯)માં આના નામાંતર તરીકે સંગીત-સારસંગ્રહનો ઉલ્લેખ છે. અહીં એમ કહ્યું છે કે પાર્ષદેવકૃત સંગીતરત્નાકર પણ આ જ કૃતિ હોવાનો સંભવ છે. ૬. જુઓ “આત્માનંદ-શતાબ્દિ-સ્મારક-ગ્રંથમાં છપાયેલો એમનો લેખ નામે “વાચનાચાર્ય શ્રીસુધાકળશ અને તેની ગુરુપરંપરા” (પૃ. ૩૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy