SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧ તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા. ૨૦ [20] હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઇ.સ. ૧૯૧૩માં (વિ. સં. ૧૯૬૯)માં વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબહેન સાથે થયાં હતાં. ઈન્દિરબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૮ (વિ. સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું. ઈન્દિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો. ઈન્દિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો ‘મા-બાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની મા-બાપ પ્રત્યેની ફરજ' આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા. પછી ઈન્દિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ‘પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ૧૯૧૮માં એમ. એ. થયા પછી હીરલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂંક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યૂ પણ એવો સારો ગયો હતો કે કૉલેજ યુનિવસર્ટિની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂંક કરી હતી. કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈન્દિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરણ અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy