SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ P-૬૭ ઉપોદ્યાત [75] ૭૫ (૨) ઇ. સ. પૂર્વે પ૯૦ અને ઇ.સ. પૂર્વે ૫૫૭માં એકેક જૈન વ્યાકરણ રચાયું ત્યાર બાદ . સ.૧૨૦ સુધીમાં એટલે કે ૭૧૦ વર્ષ સુધીના ગાળામાં લાક્ષણિક સાહિત્યની એકે જૈન કૃતિ જોવાતી નથી. (૩) ઈ. સ. ૧૨૦ના અરસામાં પાદલિપ્તસૂરિએ કૃતિઓ રચી પછી પૂજ્યપાદના સમય સુધી કોઈ કતિ રચાયેલી જણાતી નથી. આમ પાછો ત્રણ-ચાર સૈકાનો ગાળો પડે છે. વિ. સં. ૬૦૧થી વિ. સં. ૮૩૯ સુધી પણ આવી અંધકારમય સ્થિતિ પ્રાયઃ પ્રવર્તે છે. (૪) વિ. સં. ૮૪૦માં હરિવંશપુરાણ રચાતાં સાહિત્યનું ક્ષેત્ર ઠીક ઠીક ખેડાવા માંડે છે. તેમાં લ. વિ. સં. ૯૦૦માં “પાપનીય” સંઘના તે સમયના અગ્રણી શાકટાયનથી “યાપનીય સાહિત્ય' રચાય છે, પરંતુ એ પ્રવૃત્તિ થોડાક સૈકા બાદ બંધ પડે છે. વિશેષમાં “પાપનીય સંપ્રદાયની કોઈ વ્યક્તિ આજે પાંચેક સૈકાથી તો અસ્તિત્વ ધરાવતી જણાતી નથી. (૫) લ. વિ. સં. ૧૦૮૦થી શ્વેતાંબર લાક્ષણિક સાહિત્યની રચનાના શ્રીગણેશ કોઈ એવા શુભ મૂહૂર્તમાં મંડાયા કે એ પ્રવૃત્તિ આજ દિન સુધી ઓછેવત્તે અંશે ચાલુ રહેલા પામી છે. . (૬) વિક્રમની બારમી-તેરમી સદીમાં લાક્ષણિક સાહિત્યની લહાણી થતી જોવાય છે. એમાં “કલિ0’ હેમચન્દ્રસૂરિની પ્રવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. પછી કંઇક ઓટ આવે છે. આગળ જતાં વિક્રમની સત્તરમી સદી સાહિત્યપ્રવૃત્તિથી ગાજી ઉઠે છે, જો કે એમાં મૌલિકતાની-સંગીન ઉમેરાની-ન્યૂનતા જોવાય છે. યશોવિજયગણિ આ ન્યૂનતા નવ્ય ન્યાયની ઝમકવાળી કૃતિઓ રચી અમુક અંશે દૂર કરે છે. ત્યાર પછી તો એવું થોડુંક કાર્ય પણ ભાગ્યે જ કોઇએ સંસ્કૃત સાહિત્ય પરત્વે કર્યું છે અને આજે કરે છે. જૈન જગતના શ્વેતાંબર અને દિગબર એવા બે સ્પષ્ટ વિભાગ પડ્યા બાદ દિગંબરીય સાહિત્ય-ગગનમાંના ‘પાઇય' દિગ-વિભાગમાં જેમ કુન્દકુન્દ્રાચાર્ય જેવો સમર્થ તેજસ્વી મહાતારક ઊગ્યો તેમ “સંસ્કૃત' દિગૂ-વિભાગમાં સમન્તભદ્ર ગણાય છે. આશાધર નામનો તારો આ મહાતારકોના હિસાબે ઓછો તેજસ્વી છે. એ આથમી જતાં એટલા યે તેજથી દિગંબરીય સંસ્કૃત દિગૂ-વિભાગને પ્રકાશિત કરનાર કોઈ તારો આજદિન સુધીમાં ઊગ્યો હોય એમ જણાય છે ખરું ? મૂલ્યાંકનનું કાર્ય પૂરું થયું છે એટલે પૃ. ૧૨માં સૂચવાયા મુજબ હું ‘નિવેદન’નો અવિશિષ્ટ અંશ રજૂ કરું છું. રચનાસમયની સૂચી– આ પ્રથમખંડમાં લાક્ષણિક સાહિત્યને અંગેની જૈન સંસ્કૃત કૃતિઓના પ્રણેતાઓનો પરિચય આપતી વેળા મેં એ પ્રણેતાઓ પૈકી ઘણા ખરાની અન્ય વિષયોની કૃતિઓ હોય તો તે કૃતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એ સમગ્ર કૃતિઓના રચના સમયની એક કામચલાઉ સૂચી મેં તૈયાર કરી છે. એ એકાંગી હોવાથી આગળ ઉપર ત્રીજા વિભાગના અંતમાં એવી બીજી બે સૂચી જે બીજા બે વિભાગો માટે મેં યોજી છે તેની સાથે એને ભેળવી દઈ ત્રણ વિભાગની એક અખંડ સૂચી આપવાનો ઈરાદો રાખું છું. કર્તવ્ય- આર્ય સંસ્કૃતિરૂપ અખંડ તેલમાં તરબોળ એવી નાનીમોટી જૈન કલમરૂપ વાટોને પ્રતિભારૂપ દીપ-શિખા વડે પ્રજવલિત કરી દાનવતારૂપ ધુમ્રથી રહિત જ્ઞાનરૂપ પ્રકાશ દસે દિશામાં સમુચિત સ્વરૂપે સબળ પ્રમાણમાં સતત પ્રસરતો જોવાની અભિરુચિ હર કોઈ જૈનને હોય જ. આથી P-૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy