SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ [74] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ હેમચન્દ્ર-વચનામૃત-સુભાષિત-પદ્ય-રત્નાકર અને જૈન-સૂક્ત-સંદોહ. સુભાષિતોને લગતી કૃતિઓની રચનાનો પ્રારંભ વિ. સં. ૧૦૨૫ની આસપાસમાં થયો હોય એમ લાગે છે અને આ જાતની સ્વતંત્ર કૃતિની રચનાનું કાર્ય લગભગ વિ. સં. ૧૮૪૭ સુધી ચાલુ રહ્યું છે. શ્વેતાંબરોમાં સિજૂરપ્રકરે અને દિગંબરોમાં સુભાષિતરત્નસંદોહે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તે સમુચિત છે. વિક્રમની સત્તરમી સદીમાં સુભાષિતોને અંગે જેટલી કૃતિ રચાઇ છે એટલી અન્ય સદીમાં રચાઈ હોય એમ જણાતું નથી. : સોળમાં પ્રકરણમાં સુભાષિતોને લગતી કૃતિની સંખ્યા ઘણી મોટી છે. એ જોતાં અને આ વિષયની મહત્તા અને ગ્રાહકતા વિચારતાં મારી એ નમ્ર સૂચના છે કે આ જાતની પ્રકાશિત તેમજ અપ્રકાશિત સમગ્ર જૈન કૃતિઓનાં પદોનો એક કોશ સુભાષિત રત્નમાંડાગર જેવા સ્વરૂપે તૈયાર કરવાનું કાર્ય કોઈ મુનિવરે ઉપાડી લેવું જોઇએ અને એનું પ્રકાશન કોઇ સમૃદ્ધ સમીક્ષાત્મક સંસ્કારરૂપે કરવું જોઈએ. રાજનીતિને અંગે એક જ ગ્રન્થ છે અને એ મહત્ત્વનો છે. બુદ્ધિસાગર જેવી પ્રકીર્ણક કૃતિ પણ ગણીગાંઠી હશે એટલે એના પર તુલનાત્મક મૂલ્યાંકન માટે વિચાર કરવાનો રહેતો નથી. ત્રણ અને ચાર વિષયની એકકઈંક કૃતિઓ- લાક્ષણિક સાહિત્યનાં જે પંદર વિષયોને આ પુસ્તકમાં સ્થાન અપાયું છે એ દરેકને અંગે સંસ્કૃતમાં એકેક કૃતિ પણ રચી હોય એવા જૈનગૃહસ્થ કે મુનિવર નથી અને એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમકે સામાન્ય રીતે એક જ વ્યક્તિ એક કે બે જ વિષયની કૃતિ રચે એ સ્વાભાવિક ઘટના છે. આથી અહીં હું લાક્ષણિક સાહિત્યના ત્રણ અને ચાર વિષયો પરત્વે કૃતિ રચનારનો અનુક્રમે ઉલ્લેખ કરું છું. તેમાં ત્રણને અંગે રચનાર નીચે મુજબ છે. વ્યાકરણ, છન્દ અને વૈદ્યક : પ્રણેતા પૂજ્યપાદ. વ્યાકરણ, અલંકાર અને સંગીત : પ્રણેતા મંડન (મસ્ત્રી). ચાર વિષયો ઉપર કૃતિ રચનાર તરીકે બે વ્યક્તિઓ છે : (૧) કલિ૦ હેમચન્દ્રસૂરિ અને (ર) હર્ષકીર્તિસૂરિ. વ્યાકરણ, કોશ, છન્દ અને અલંકાર એ ચાર વિષયો ઉપર “કલિ0' હેમચન્દ્રસૂરિએ અને વ્યાકરણ, કોશ, વૈદ્યક અને નિમિત્ત એ ચારને અંગે હર્ષકીર્તિસૂરિએ કૃત રચી છે. સૈકાદીઠ ફાલ (૧) ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમય પૂર્વે લાક્ષણિક સાહિત્યની કોઈ કૃતિ સ્વતન્ન સ્વરૂપે રચાઈ હોય તો તે આજે મળતી નથી. P-૬૬ ૧. આથી વધારે વિષયની લાક્ષણિક સાહિત્યને લગતી કૃતિ કોઈ જૈને રચી નથી એટલે એનો નિર્દેશ કરવાનો રહેતો નથી. ૨. વ્યાકરણનાં પાંચ અંગ ઉપર એકેક કૃતિ, સૂત્રપાઠ ઉપર લઘુ અને બૃહદ્ઘત્તિ તથા ન્યાસ તેમજ ધાતુપાઠ, લિંગાનુશાસન અને ઉણાદિસૂત્ર ઉપર એકેકવૃત્તિ. ૩. કોષ ચાર છે. જુઓ પૃ. ૬૪ બે કોષ ઉપર સ્વોપજ્ઞવિવરણ છે. ૪. આના ઉપર એક કૃતિ છે અને એ સ્વપજ્ઞવૃત્તિથી વિભૂષિત છે. ૫. આને અંગે એક કૃતિ છે અને તે વૃત્તિ અને તેના ઉપરની વૃત્તિ (supercommentary)થી અંલકૃત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy