SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧ જીવનમાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઈમાં વરલી ઉપર ‘મધુહંસ’ નામના બિલ્ડિંગમાં કાયમ માટે રેહવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઇની તબિયત સારી હતી અને રોજ બે વાર ચા૨ દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઇચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હૉસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાના બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યાં કે ‘મને ચા િદવસ પછી હૉસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.' શાન્તાબહેને બધાંને સમજાવ્યાં અને હૉસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાલભાઈએ સંથારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પચ્ચખ્ખાણપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઈમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઈ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઈને નિર્યામણા કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મૂહુર્તે ૮૫ વર્ષની વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો. ૩૨ [32] હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઈન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરલાલભાઈની કારકિર્દીનું ઘડતર મુંબઈમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાલ મુંબઈમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઈમાં લીધા હતા. સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરલતાપૂર્વક હીરાલાલભાઈએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ શ્રુતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ. પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જૈન સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે. [સાંપ્રત સહચિંતન ભા. ૧૩માંથી ટુંકાવીને સાભાર.] Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy