SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ [66] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ | P-પર આ ઉપરથી એ ફલિત થાય છે કે જૈન-વ્યાકરણ પૈકી ત્રણ જ વ્યાકરણ અંગે પ્રક્રિયા-ગ્રંથ છે. સૌથી વધારે પ્રક્રિયા-પ્રન્થ સિ0 હેતુને લક્ષીને છે અને એવી રચના વિ. સં. ૧૭૧૦ પહેલાં કોઇએ કર્યાનું જણાતું નથી (વીરસેનનો સમય જાણવામાં નથી.) એવી રીતે જૈનેન્દ્ર વ્યાકરણ પરત્વે વિક્રમની બારમી સદી પહેલાં અને શાકટાયનને અંગે વિક્રમની અગિયારમી સદી પહેલાં કોઈ પ્રક્રિયાગ્રંથ રચાયો લાગતો નથી. જો આમ કહેવું વાસ્તવિક હોય તો જૈન વ્યાકરણોમાં પ્રક્રિયા-ગ્રન્થથી વિભૂષિત થનારા વ્યાકરણ તરીકે શાકટાયન વ્યાકરણ સૌથી પહેલું છે. ' સિ0 હેવનો ઉદ્ધાર કરી સિદ્ધ-સારસ્વત નામનું નવીન વ્યાકરણ દેવાનન્દસૂરિએ લ. વિ. સં. ૧૨૭૫માં રચ્યું. એ પૂર્વે કોઇએ તેમ કર્યું છે ખરું ? પાંચ અજેન વ્યાકરણો- આપણા આ દેશમાં સંસ્કૃત ભાષાનાં સંસ્કૃતમાં વ્યાકરણો જે રચાયાં છે તેમાં વૈદિક હિંદુઓનો સબળ ફાળો છે. અહીં એમણે રચેલાં નિમ્નલિખિત ચાર વ્યાકરણો વિષે વિચાર કરાયો છે. . (૧) ઐદ્ર, (૨) અષ્ટ, (૩) કાતસ્ત્ર અને (૪) સારસ્વત. એંદ્ર વ્યાકરણ સિવાય બાકીનાં સંપૂર્ણ મળે છે. કાતન્નનો અને ખાસ કરીને સારસ્વત વ્યાકરણનો જૈનોમાં જેટલો પ્રચાર થયેલો જણાય છે તેટલો અષ્ટા)નો થયો નથી. ઉવસ્સગ્ગહરથોત્તની દ્વિજપાર્ષદેવગણિએ રચેલી લઘુ ટીકામાં એ ગણિએ કાતત્રના સૂત્રો આપ્યાં છે. વળી તત્ત્વાર્થસૂત્ર ઉપર દિ.શ્રુતસાગરે રચેલી તત્ત્વાર્થવૃત્તિમાં એ મુનિએ માટે ભાગે કાતન્નનાં અને કોઇ કોઇવાર પાણિનિત અષ્ટા૦નાં સૂત્રો આપ્યાં છે. પાંચમું અજૈન વ્યાકરણ તે ચન્દ્ર વ્યાકરણ છે. એ બૌદ્ધ રચના છે અને એ મહત્ત્વની છે. ઉસભપંચાસિયા વગેરે રચનારા ધનપાલે આ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. બુદ્ધિસાગરસૂરિ વગેરે શ્વેતાંબર વૈયાકરણોએ પોતપોતાનું વ્યાકરણ રચતી વેળા આ વ્યાકરણનો ઉપયોગ કર્યો હતો. પાઇય, કાનડી અને ફારસી ભાષાનાં સંસ્કૃત વ્યાકરણો– બધાંયે જૈન સંસ્કૃત વ્યાકરણો. કંઈ કેવળ એ જ ભાષાનાં જ વ્યાકરણો નથી. સિ0 હેo તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ હોવા ઉપરાંત પાઇય ભાષાના વિવિધ પ્રકારોને લગતું અમુક કક્ષાનું તો વ્યાકરણ છે જ. સિ0 હેવની પૂર્વેનાં કોઈ જૈન વ્યાકરણમાં પાઈય ભાષાના વ્યાકરણને સ્થાન અપાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ આ ભાષાને અંગેનું સ્વતન્દ્ર વ્યાકરણ તો દિ. શ્રુતસાગર ઔદાર્યચિંતામણિ કરતાં પહેલાં કોઈ રચાયું હોય એમ જાણવામાં નથી. દિ અકલ કે “કાનડી' ભાષાનું વ્યાકરણ સંસ્કૃતમાં રચ્યું છે. એવી રીતે “પારસીક' (ફારસી) ભાષાનું સંસ્કૃત વ્યાકરણ ગૃહસ્થ વિક્રમસિંહ રચ્યું છે. વ્યાકરણોનું વિહંગાવલોકન પૂરું થાય છે એટલે લગભગ વિ. સં. ૧૮૦૦ સુધીમાં રચાયેલાં વ્યાકરણોને વિષેની કેટલીક હકીકત હું નીચે મુજબ કોષ્ટક દ્વારા સૂચવું છું. ૧. જુઓ પૃ. ૨૩. ૨. જુઓ પૃ. ૩૩ ૩. જુઓ પૃ. ૩૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy