SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત [65] ૬૫ વિશેષમાં પત્ર ૮-આમાં એમણે કહ્યું છે કે જો તમને લક્ષણાનુગામિની (અર્થાત P-૪૯ વ્યાકરણવિષયક) ગોષ્ઠી ગમતી હોય તો હાલમાં બધાંયે લક્ષણોમાં (વ્યાકરણોમાં) શ્રી સિદ્ધહેર લક્ષણ મુખ્ય છે એમ તજજ્ઞોનું કહેવું છે. આમ અહીં એમણે સિ0 હેતુને સર્વોત્તમ વ્યાકરણ કહ્યું છે. સિદ્ધહેમચન્દ્ર સર્વોત્તમ કે વિધાનંદ વ્યાકરણ? - સહસાવધાની મુનિસુંદરસૂરિએ વિ.સં. ૧૪૬૬માં રચેલી ગુર્વાવલીના નિમ્નલિખિત ૧૭૧માં પદ્યમાં વિ. સં. ૧૩૧૨ કરતાં પહેલાં રચાયેલા વિદ્યાનંદ વ્યાકરણનું મૂલ્ય આંકડ્યું છે. "विद्यानन्दाभिधं तेन कृतं व्याकरणं नवम् । भाति सर्वोत्तमं स्वल्पसूत्रं बह्वर्थसङ्ग्रहम् ॥१७१॥" આમ અહીં વિદ્યાનન્દ વ્યાકરણને નવીન કહ્યું છે. વિશેષમાં આ વ્યાકરણમાં સૂત્ર થોડાં અને અર્થ ઘણો છે અને એ સમયે મુનિસુંદરસૂરિ સામે જે જે વ્યાકરણો હશે, (સિ. હેતો હતું જ) તેમાં આ વ્યાકરણ એમને “સર્વોત્તમ' જણાયાનો ઉલ્લેખ છે. જિનરત્નકોશના પ્રથમવિભાગમાં આ વ્યાકરણની નોંધ નથી એટલે એની કોઈ હાથપોથી પણ આજે ઉપલબ્ધ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. આમ જ્યારે આ વ્યાકરણ મારા તો જોવામાં જ આવ્યું નથી તો એનું જે મૂલ્યાંકન મુનિસુંદરસૂરિએ કર્યું છે તે ચકાસી જોવાની વાત હું જતી કરું છું. બાકી નવાઇની વાત તો એ છે કે કે ઐવિદ્યગોષ્ઠીમાં વિદ્યાનન્દ વ્યાકરણનો ઉલ્લેખ સરખો યે નથી. તેમ છતાં એને ગુર્નાવલીમાં સિ0 હેવ કરતાં પણ ચડિયાતું કહ્યું છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું વિ. સં. ૧૪૫૫માં દર્શાવેલા અભિપ્રાયને વિ. સં. ૧૪૬૬માં બદલી નાંખવા માટે મુનિસુંદરસૂરિને કોઈ સબળ કારણ મળ્યું હશે કે પહેલો ઉલ્લેખ બાલ્યાવસ્થાનો હોવાથી આગળ ઉપર-અગિયાર વર્ષે એ સમુચિત ન જણાતાં એમણે ભિન્ન અભિપ્રાય દર્શાવ્યો ? પ્રક્રિયા-ગ્રન્થ- વ્યાકરણના સૂત્રપાઠગત સૂત્રોનો ક્રમ સાધનિકો માટે ભાગ્યે જ યોગ્ય હોય એટલે એના અર્થીઓ માટે પ્રક્રિયા-ગ્રંથ યોજાય એ સ્વાભાવિક છે. આવું કાર્ય પ્રત્યેક વ્યાકરણને અંગે થઇ તો શકે, પરંતુ વિશેષ પ્રચારમાં આવનારા અને મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા વ્યાકરણ માટે આ ઘટના સહજ બને. પાણિનિકૃત અષ્ટા માટે કેટલાકને મતે બૌદ્ધ ધર્મકીર્તિએ લ. વિ. સં. ૧૧૪૦માં રૂપાવતાર નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને ભોજિ દીક્ષિતે વિ.સં. ૧૫૧૦થી ૧૫૭૫ના ગાળામાં સિદ્ધાંતકૌમુદી નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને નરેન્દ્રાચાર્ય લ. વિ. સં. ૧૩00માં રચેલા સારસ્વત વ્યાકરણ પરત્વે અનુભૂતિસ્વરૂપાચાર્યે પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે તેમ ઉપલબ્ધ જૈન-વ્યાકરણો પૈકી દિ દેવનદિત જૈનેન્દ્ર વ્યાકરણ ઉપર શ્રુતનદિએ તેમજ ચારકીર્તિએ એકેક પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને શાકટાયન વ્યાકરણને અંગે અભયચંદ્ર પ્રક્રિયા-સંગ્રહ, ભાવસેને શાકટાયન-ટીકા અને દયાપાલમુનિએ રૂપસિદ્ધિ એમ ત્રણ પ્રક્રિયા-ગ્રંથો રચ્યા છે તેમજ સિ0 હેવને અંગે વિનયવિજયગણિએ હૈમલઘુપ્રક્રિયા અને મેઘવિજયગણિએ ચંદ્રપ્રભા ઇત્યાદિ ત્રણ કૃતિ અને વીરસેને હૈમપ્રક્રિયા રચી છે. આમ સિ0 હેવને અંગે આધુનિક રચનાઓ બાદ કરતાં પાંચ પ્રક્રિયા-ગ્રંથો રચાયા છે. ૧. વીસ વ્યાકરણોનો ઉલ્લેખ ઐવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ. પૃ.૨૦ (ઉપ૦). ૨. જુઓ સં૦ વ્યા, ઇ૦ (ભા.-૧, પૃ.-૪૫૩.) ૩. જુઓ પૃ.-૪૭-૪૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy