SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ : વ્યાકરણ : પ્રિ. આ. ૪૬-૪૭] ૨૭ શબ્દાર્ણવવ્યાકરણ (લ. વિ. સં. ૧૬૮૦)- આ ખરતરગચ્છીય રત્નસાગરના શિષ્ય સહજકીર્તિગણિની ૧૭000 શ્લોક જેવડી કૃતિ છે. એમાં સંજ્ઞા વગેરે દસ અધિકાર છે. એ સહજકીર્તિએ નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે – (૧) અનેકશાસ્ત્રસારસમુચ્ચય, (૨) એકાદિદશપર્યન્તશબ્દસાધનિકા, (૩) કલ્પમંજરી (વિ. સં. ૧૬૮૫), (૪) નામકોશ, (૫) પ્રીતિષત્રિંશિકા (વિ. સં. ૧૬૮૮), (૬) ફલવદ્ધિ-પાર્શ્વનાથ-મહાભ્યમહાકાવ્ય, (૭) મહાવીરસ્તુતિ (વિ. સં. ૧૬૮૬), (૮) જલોદ્રપુરીય-પાર્શ્વનાથ-સ્તુતિ (વિ.સં. ૧૬૮૩) અને (૯) સારસ્વતવૃત્તિ. મનોરમા– આ સ્વોપજ્ઞવૃત્તિ છે. શબ્દાર્ણવ - જૈ. ગ્રં. (પૃ. ૨૯૮) પ્રમાણે આ સહજકીર્તિની રચના છે. આ પૃષ્ઠ ઉપરના ટિપ્પણ પ્રમાણે આ કૃતિનું નામ સિદ્ધ-શબ્દાર્ણવ છે. અને એ ૧૩૦૦ શ્લોક જેવડું છે. અહીં આ કૃતિને વ્યાકરણ ગયું છે. પરંતુ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૮) પ્રમાણે તો આ છ પ્રકરણમાં વિભક્ત એવો કોશ છે અને એનું બીજું નામ ઋજુ-પ્રાજ્ઞ-વ્યાકરણ-પ્રક્રિયા છે. વિશેષમાં ઉપર્યુક્ત સહજકીર્તિને ખરતર’ ગચ્છના ઉપા. હેમનન્દનના શિષ્ય હોવાનું અહીં કહ્યું છે. સાથે સાથે આના ઉપર સ્વોપજ્ઞ ટીકા હોવાનો અહીં ઉલ્લેખ છે. શબ્દાર્ણવવૃત્તિ સહજકીર્તિ ગણિએ રચેલી ૧૭000 શ્લોક પ્રમાણની સ્વોપજ્ઞ ટીકાની હાથપોથી ખંભાતસ્થિત વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૫. પૃ.૨૬ ] પજૈનસિદ્ધાન્ત કૌમુદી (વિ. સં. ૧૯૮૧)-આના કર્તા “શતાવધાની' મુનિશ્રી રત્નચન્દ્રજી છે. એઓ “લોંકા' ગચ્છમાં અંતર્ગત “લીંબડી’ સંપ્રદાયના શ્રીગુલાબચન્દ્રજીના શિષ્ય થાય છે. એમણે આ વ્યાકરણ ચચ્ચાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત કર્યું છે. એ સોળ પાદની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે :- ૪૬, ૩૨, ૧૦૦, ૧૪૫, ૯૪, ૪૦, ૫૧, ૧૦૭, ૧૮૫, ૭૧, ૬૯, ૪૦, ૮૬, ૫૧, ૬૫ અને ૧૧૯. આ ૧૩૦૧ સૂત્રોને તેમજ એના ઉપરના સ્વપજ્ઞ વાર્તિકને પ્રક્રિયા ક્રમે રજૂ કરી એનું કર્તાએ જાતે રચેલું વિવરણ અપાયું છે. એ સમગ્ર રચનાને જૈનસિદ્ધાન્તકૌમુદી નામ અપાયું છે. એના પૂર્વાર્ધમાં નિમ્નલિખિત નામવાળાં પ્રકરણો અનુક્રમે અપાયાં છે સંજ્ઞા પરિભાષા, સ્વરસન્ધિ, વ્યંજનસબ્ધિ, સ્વરવિકાર, વ્યંજનવિકાર, વિભક્તિ, અવ્યય, સ્ત્રી પ્રત્યય કારક, સમાસ અને તદ્ધિત. ઉત્તરાર્ધમાં આખ્યાત-પ્રક્રિયા અને કૃદન્ત-પ્રક્રિયાનું નિરૂપણ છે. ૧. આમાં શ્રીસાર નામના એમના ગુરુભાઈનો પણ હિસ્સો છે. આમ આ દિકર્તૃક રચના છે. એ પોસવણાકપની વૃત્તિ છે. ૨. આ કૃતિ લિંગનિર્ણયની સાથે છ કાંડમાં રચાઈ છે. આ બાબત પૃ. ૧૨૧માં ઉમેરવી. ૩. આમાં ૨૪ સર્ગ છે. [આમાં 300 વિવિધ છંદમય શ્લોકો છે. આની હસ્ત લિખિત પ્રત લા. દ. વિ. માં છે.] ૪. આ “શતદલકમલ'થી અલંકૃત છે. ૫. આ કૃતિ ભૈરવદાને અને જયેષ્ઠમલે પોતાના બિકાનેરના મુદ્રણાલયમાં છાપી ઇ. સ. ૧૯૨૫માં પ્રસિદ્ધ કરી છે. એમા અંતમાં સૂત્રપાઠ, વાર્તિક, ધાતુપાઠ તેમજ સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy