SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ “ચન્દ્રપ્રભા રચાયાનો ઉલ્લેખ છે. દ્વિતીયા વૃત્તિના અંતમાં એક પદ્ય છે પણ એમાં રચના-વર્ષનો નિર્દેશ નથી. પુષ્મિકામાં આને બ્રહ-પ્રક્રિયા કહી છે. પૃ. ૧૫૮ના અંતમાં બે પદ્ય છે. તેમાં પ્રથમ 'P ૮૪ વૃત્તિ પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. પુષ્મિકામાં પણ તેમજ છે. એ હિસાબે તો ત્રણ વૃત્તિ ગણાય અને તદ્ધિત-પ્રકરણથી બીજી વૃત્તિની શરૂઆત મનાય. સિ. હે. (૧-૪-૯૨) રૂપ “ટા સ્વરે વા'' ને લગતી પ્રક્રિયા (પૃ. ૪૦)માં :, શિર ઇત્યાદિ રૂપો દર્શાવતી વેળા પાણિનીય અખા.નો, નહિ કે સિ. હે.નો, આધાર લેવાયો છે અને એ સ્કૂલન ગણાય એમ કેટલાક કહે છે. હૈમપ્રક્રિયા-આની રચના મહેન્દ્રસુત વીરસેને કરી છે. હૈમપ્રક્રિયાશબ્દસમુચ્ચય–આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)માં જોવાય છે. આના જ આધારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૨)માં આ કૃતિની નોંધ લેવાઈ છે. શ્રીહેમશબ્દસંચય-અમરચન્દ્રકૃત અવચૂર્ણિની પ્રસ્તાવના (પૃ. ૭)માં આ નામનો ગ્રંથ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ને આધારે નોંધતાં કહ્યું છે કે એની ૪૩૬ પત્રની એક હાથપોથી પાટણના ભંડારમાં છે અને એના કર્તા અમરચન્દ્ર છે. આ અમરચન્દ્ર તે ઉપર્યુક્ત અવચૂર્ણિકાર જ હશે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૩)માં જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ના ઉલ્લેખપૂર્વક ૪૨૬ શ્લોક જેવડી હૈમશબ્દસંચય નામની અને અમરચન્દ્ર રચેલી કૃતિની નોંધ છે. P ૮૫ હૈમશબ્દસમુચ્ચય-આ નામની અને ૪૯૨ શ્લોક જેવડી કૃતિની નોંધ જિ. ૨. કો. (ખંડ, ૧, પૃ. ૪૬૩)માં છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે. આમ જે ત્રણ કૃતિની ભિન્ન ભિન્ન નોંધ છે તે શું ખરેખર પૃથક્ પૃથક કૃતિ છે ? હૈમકારકસમુચ્ચય-આ શ્રીપ્રભસૂરિની રચના છે. એ શીખાઉને માટે ઉપયોગી છે અને એ ત્રણ અધિકારમાં વિભક્ત છે એમ જે. ગ્રં. (પૃ. ૩૦૨)માં કહ્યું છે. હૈમવિભ્રમ (વિક્રમની બારમી સદી)- કાતંત્રવિભ્રમ તરીકે ઓળખાવાતી એક કૃતિમાં ૨૧ કારિકા છે. એ વ્યાકરણને અંગેના કોયડાની ગરજ સારે છે, કેમકે અહીં અપાયેલાં કેટલાંક રૂપો સામાન્ય ૧.જિ. ૨. કો. (ખંડ ૧, ૫. ૧૨૦) પ્રમાણે આ ચન્દ્રપ્રભા ૧૮000 શ્લોક જેવડી છે. ૨.સિ. હે. (અ. ૧-૭)ને અંગે લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ પ્રકારની હેમપ્રભા નામની પ્રક્રિયા “તીર્થોદ્ધારક' વિજયનેમિસૂરિએ અને આ જાતની ત્રણ પ્રક્રિયા નામે સિદ્ધપ્રભા “આગમોદ્વારકઆનન્દસાગરસૂરિએ રચી છે અને એ બધી (છ યે) પ્રસિદ્ધ થયેલી છે. આ ઉપરાંત ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપા. મંગળવિજયજીએ ધર્મદીપિકા નામની પ્રક્રિયા અ. ૧-૭ ને અંગે રચી છે અને એ પણ છપાયેલી છે. ગિરજાશંકર મયાશંકર શાસ્ત્રીએ હૈમ-બૃહ-પ્રક્રિયા રચી છે અને એ પણ પ્રસિદ્ધ થયેલી છે. ૩. આ કૃતિ ગુણચન્દ્રસૂરિકૃત તત્ત્વપ્રકાશિકા નામની વૃત્તિ સહિત “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. એમાંનું છઠું પદ્ય અવચૂર્ણિ સહિત છપાયેલી કૃતિમાં નથી. વળી આ આવૃત્તિમાં ૧૮ અંકવાળાં બે પદ્યો છે. એ હિસાબે બાવીસ પદ્યો ગણાય. ૪. આના કર્તાનું નામ જાણવામાં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy