SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૪-૨૦૭] ૧૨૫ (૧) ભાવબોધિકા આના રચનાર દૈવજ્ઞ શિરોમણિ છે. (૨) વૃત્તિ- આ વૃત્તિ સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૨૬માં ૧૭૦૦ શ્લોક જેવડી રચી છે. એ સૂરિ યશોદેવસૂરિના શિષ્ય વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વર્ધમાન-વિદ્યાકલ્પ તેમજ શ્રીપતિકૃત P ૨૦૬ ગણિતતિલક ઉપર વૃત્તિ તેમજ મંત્રરાજ-રહસ્ય નામનો ગ્રંથ (વિ. સં. ૧૩૩૨)માં રચ્યાં છે અને એના ઉપર લીલાવતી નામની વૃત્તિ રચી છે. (૩) અવચૂરિ–લક્ષ્મીસાગરસૂરિએ આ અવસૂરિ વિ. સં. ૧૫૨૧માં રચી છે. (૪) વૃત્તિ- આના કર્તા હેમતિલક છે. ' (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.' આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યા (લ. વિ. સં. ૧૨૮૦)- આ ૪૧૩ પદ્યોની કૃતિના પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. એઓ વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિના અને શકસંવત્ ૧૨૧૪માં સ્યાદ્વાદમંજરી રચનારા મલ્લિષણના તેમજ વસ્તુપાલના પુત્ર જયંતસિંહ માટે વિ. સં. ૧૨૯૦માં પ્રબંધાવલી રચનારા જિનભદ્રના ગુરુ થાય છે. એમણે ધર્માલ્યુદય અને નેમિનાથ ચરિત્ર તેમજ સુકૃતકીર્તિકલ્લોલિની નામનું પ્રશસ્તિ-કાવ્ય રચ્યાં છે. વળી એમણે ધર્મદાસગણિકૃત કવિએસમાલા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામની રે ૨૦૭ ટીકા ધોળકામાં વિ. સં. ૧૨૯૯માં રચી છે. આ ઉપરાંત એમણે છાસીઈ અને કમ્મસ્થય એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પણ રચ્યાં છે. ગિરનાર' ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખો પૈકી વિ સં. ૧૨૮૮નો એક લેખ એ પણ એમની કૃતિ છે. આ આરંભસિદ્ધિ પાંચ વિમર્શમાં વિભક્ત છે. આ પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ૧૧ દ્વાર ઉપર પ્રકાશ પાડે છે :૧. ‘ખરતર' ગચ્છના ઉપા. દાનસાગરના શિષ્ય વાચક રત્નધીરે ભુવનદીપક ઉપર વિ. સં. ૧૮૦૫માં બાલાવબોધ રચ્યો છે. ૨. આ કૃતિ સુધી શૃંગાર નામના વાર્તિક, મૂળ કૃતિગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી તેમજ વાર્તિકમાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની સૂચી સહિત “લ. જૈ. ગ્રં.”માં છાણીથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે. આ પ્રકાશન માટે શ્રી. પુરુષોત્તમદાસ ગીગુભાઈ તરફથી ભાવનગરથી ઈ. સ. ૧૯૧૬માં સુધી શૃંગાર સહિત છપાયેલી આવૃત્તિનો ઉપયોગ કરાયો છે. [ગુર્જર અનુવાદ સાથે આ. સિ. નું પુનઃ પ્રકાશન આ લબ્ધિસૂરિજીના પ્રયાસથી થયું છે. વિ.સં. ૨૦૧૩માં આ. સિ. વાર્તિક સાથે ખાંતીલાલે ભવનગરથી પ્રગટ કરી છે.] ૩. આ વિ. સં. ૧૨૭૭ના અરસામાં રચાયેલા કાવ્યમાં અણહિલપુર પાટણના નૃપતિઓને લગતી ઐતિહાસિક બાબતો આપી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કૃત્યોની પ્રશંસા કરાઈ છે. વસ્તુપાલે “શત્રુંજય” ઉપર બંધાવેલા ઇન્દ્રમંડપમાં આ કાવ્ય કોતરાવાયું હતું. પાટણમાં આ મંત્રીશ્વરના પ્રાસાદના અવશેષરૂપ મનાતા આરસના એક થાંભલા ઉપર આ કાવ્યનું એક પદ્ય કોતરાયેલું મળી આવ્યું છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭ અને ૨૩૭). ૫. ‘ધોળકા યુનિવર્સિટિ' તરીકે હાંસીપાત્ર ગણાતા આ ધોળકામાં વિદ્યાપીઠ હતી અને એ વસ્તુપાલની છાયા નીચે મહત્ત્વનું વિદ્યાધામ બની હતી. ૬. પાંચ વિમર્શમાં અનુક્રમે ૪, ૨, ૧, ૨ અને ૨ દ્વાર છે, અને ૮૪, ૭૩, ૮૨, ૮૮ અને ૮૬ પદ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy