SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૪-૨૨૬] ૧૩૯ પંચાંગતત્ત્વ- પંચાંગ એટલે (૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) યોગ અને (૫) કરણ. આ પાંચ અંગોના નિરૂપણરૂપ આ કૃતિ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. વૃત્તિ- આ ૯૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ અભયદેવસૂરિએ રચી છે. પંચાંગતિથિવિવરણ– આ કરણશેખર કે કરણશેષ તરીકે ઓળખાવાતી કૃતિની ૧૯૦ શ્લોક જેવડી વૃત્તિ છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે. પંચાંગદીપિકા અને પંચાંગપત્રવિચાર- આ બંને પંચાંગને લગતી કૃતિ હોય એમ લાગે છે. યત્રરાજ (વિ. સં. ૧૪૨૭)- આ મદનસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની શકસંવત્ ૧૨૯૨ની રચના છે. એ પાંચ પ્રકરણમાં વિભક્ત છે. ટીકા- આના કર્તા મલયેન્દુ છે. યત્રરાજરચનાપ્રકાર- આના કર્તા સવાઈ જયસિંહ છે. યાત્રાસ્નાય- આ અજ્ઞાતકર્તુક કૃતિ નિમિત્તશાસ્ત્રને લગતી છે ? ‘ઉસ્તારલાવ’ યંત્ર (લ. વિ. સં. ૧૫૫0) - આના કર્તા વિ. સં. ૧૫૩૬માં સારસ્વત-દીપિકા રચનારા મેઘરત્ન છે. એઓ ‘વટ’ ગચ્છના વિનયસુંદરના શિષ્ય થાય છે. એમણે પ્રસ્તુત કૃતિ ૩૮ શ્લોકમાં રચી છે. આ ખગોળશાસ્ત્રીઓને ઉપયોગી એક યંત્ર ઉપર પ્રકાશ પાડે છે. એ યંત્રને ઉર્દૂ-હિંદી-કોશમાં નક્ષત્ર-યંત્ર અને અંગ્રેજીમાં એસ્ટ્રોલાબે (Astrolabe) કહે છે. એનો પરિચય Encylopaedia Britanica (Vol. II, pp. 574-575; 14th edn.)માં અપાયો છે. એ ઉપરથી આ ગ્રીક યંત્ર હોવાનું મનાય છે. એની શોધ હિપાર્કસે (ઈ. સ. પૂ. ૧૫૦) અથવા પેર્ગાના એપોલોનિયસે (ઇ. સ. પૂ. ૨૪૦)માં કરી હતી. એ યંત્ર આકાશી પદાર્થોની–ગ્રહાદિની ઊંચાઈ (Altitude) માપવાના કામમાં લેવાતું હતું. એ ઉપરથી કાળ (સમય) અને અક્ષાંશનો બોધ થતો હતો. ટીકા ઇત્યાદિ– આ લઘુ કૃતિ ઉપર સંસ્કૃતમાં ટીકા છે અને રાજસ્થાની’ ભાષામાં અનુવાદ છે." [અંગવિજા. મુનિશ્રી પુણ્યવિજયજી. પ્રા...સો. દ્વારા બે વાર પ્રકાશિત થયું છે. ભારતીય જ્યોતિષ- નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ વારાણસી ૩૬મું સંસ્કરણ ઇ. સ. ૨૦૦૩.] ૧. આ કૃતિ એસ દ્વિવેદી અને એલ. શર્માએ બનારસથી ઇ. સ. ૧૮૮૩માં પ્રસિદ્ધ કરી છે. ૨. બિકાનેરના “અનૂપ-સંસ્કૃત-પુસ્તકાલયમાં આની વિ. સં. ૧૬૦૦માં લખાયેલી એક હાથપોથી છે. એનો પરિચય શ્રી અગરચંદ નાહટાએ “ડતરત્નાવ યંત્ર સર્વત્થી પક્ષ મહત્વપૂર્ણ જૈન ગ્રન્થ' નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨ પૃ. ૧૧૯ ૧૨૬)માં પ્રકાશિત છે. ૩. આ લેખ ઉપર્યુક્ત લેખમાં મૂળ કૃતિના શ્લો. ૧, ૩, અને ૩૮ સહિત ઉદ્ધત કરાયો છે. એને અંગેનું શ્રીનેમિચન્દ્ર શાસ્ત્રીએ હિન્દીમાં લખેલું ટિપ્પણ સાથે સાથે છપાવાયું છે. ૪-૫. ઉપર્યુક્ત હાથપોથીમાં આ બંને છે, પરંતુ મૂળ કૃતિ અશુદ્ધ લખાયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy