SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૯૭-૧૯૯] ૧૮૫ 'ટીકા (વિ. સં. ૧૫૩૫)- આ શતકત્રય ઉપર ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધસૂરિના શિષ્ય ધનસારે વિ. સં. ૧૫૩૫માં જયપુરમાં ટીકા રચી છે. એ ટીકા નીતિશતક વગેરે ત્રણ શતકો ઉપરની વિવિધ સંસ્કૃત ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. એ ટીકા વાતચીતની (colloquial) જૈન સંસ્કૃતમાં છે એમ પ્રો. દામોદર ધર્માનંદ કોસંબીનું કહેવું છે." | સર્વાર્થસિદ્ધિમણિમાલા- આના રચનાર ખરતર બેગડ’ ગચ્છના જિનસમુદ્રસૂરિ છે. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. રસાધ્યાય-આ અજૈન આચાર્ય નામે કંકાલયની કૃતિ છે, એથી એને કંકાલયાધ્યાય પણ કહે છે. ટીકા - અચલગચ્છના આ. મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૩માં પાટણમાં ભદિગ (ભડિગ)ના પુત્ર ચંપક રાવલની અભ્યર્થનાથી સંસ્કૃતમાં આ ટીકા (વાર્તિક) રચેલ છે. લેખ - આ ગ્રંથ અને એની ટીકાને અંગે મેં નિમ્નલિખિત લેખ લખ્યો છે- “રસાધ્યાય કિંવા કંકાલયાધ્યાય અને મેરૂતુંગસૂરિકૃત સંસ્કૃત વાર્તિક (વિ. સં. ૧૪૪૩)” પિજ ન : ૧૪પની બાકી રહેલ યાદી] પાણિનીયયાશ્રય વિનયરત્ન, કિરાતાર્જુનીયવૃત્તિ : વિનયસુંદર, કિરાતાર્જુનદીપિકા : ધર્મવિજય (અમદાવાદ), કુમારસંભવવૃત્તિ વિજયગણિ (અમદાવાદ), ઘટખર્પવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર, રઘુવંશવૃત્તિસમયસુંદર અમદાવાદ, રાક્ષસકાવ્યવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર. શિશુપાલવઘટીકા ચારિત્રવર્ધન ડેક્કન, નૈષધીયકાવ્ય ટીકા જિનરાજસૂરિ, જ્ઞાનસૂર્યોદયનાટક મેઘપ્રભ પાટણ રોહિણીમૃગાંક પ્રકરણ રામચન્દ્રસૂરિ, વનમાલા નાટિકા રામચન્દ્રસૂરિ, સુઘાકલશ રામચન્દ્રસૂરિ, વાદરત્નાકર ડિક્કન-પુના), વાદવિજય, સિદ્ધાન્તરત્નાકર ડિક્કન), કંટકોદ્ધાર (પાટણા), ન્યાયતત્ત્વ (જેસલમેર), લિંગ-લિંગીવિચાર (જેસલમેર), વિપ્રવકત્રમુદ્ધર ડક્કન), વપૂમતનાટકમ્ (પાટણ), સર્વજ્ઞપરીક્ષા (જેસલમેર) સ્યાદ્વાદકલિકા : રાજશેખર (પાટણ), હેતુબંડન પાંડિત્ય : સુમતિસાધુ. આનંદ સાગરજી. ૧. આની મુંબઈ સરકારની માલિકીની એક હાથપોથી ભાં. પ્રા. સં.મં.માં છે. એનું આદ્ય પદ્ય તેમજ અંતિમ પંક્તિઓ D C G C M (Vol. XIII, pt. I, p. 403)માં ઉધૃત કરાયાં છે. ૨. શતકત્રયને અંગે બે ભાષા-ટીકા, હિન્દી પદ્યાનુવાદ, હિન્દી ગદ્યપદ્યાનુવાદ અને બાલાવબોધ રચાયાં છે એમ શ્રી અગરચંદ નાહટાએ એમના પૃ. ૨૭૧માં નિર્દિષ્ટ લેખમાં કહ્યું છે. ૩. એમના પ્રશિષ્ય શાન્તિનાથચરિત્રની એક હાથપોથી વિ.સં. ૧૬૨૮માં લખી છે. ૪-૫. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનો ઉપોદઘાત (પૃ. ૨૩). ૬. આ વૈદ્યક ગ્રંથ મેરૂતુંગસૂરિકૃત ટીકા સહિત “ચૌખંબા ગ્રંથમાલા”માં પ્રકાશિત થયેલો છે. આ ગ્રંથનું અપર નામ રસાલય પણ છે. ૭. આ લેખ “ભિષમ્ ભારતી” (વ. ૫, અંક ૧૦)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy