SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૭૧] ૧૦૧ “पल्लवकलशविराजिनि कल्पलताविवुधमन्दिरे रचितः । પધ્ધનો વિનયતાં છે(?) દ્વૈપતીકોડયમ્ !'' આ પદ્યમાં કલ્પલતાને વિબુધમન્દિર, પલ્લવને એનો કલશ અને ક. વિ.ને એનો ધ્વજ કહ્યો છે. ક, વિ. (પૃ. ૪૨, ૫. ૧૯)માં ઉદેશનો પરિહાર જે કલ્પલતામાં કરાયો છે તે ચિત્ય છે એવો ઉલ્લેખ એના કર્તા કલ્પલતાના પ્રણેતા નથી એમ સિદ્ધ કરે છે. પ્રકરણ ૮, ૯, ૧૧, ૧૩ અને ૧૫. ભૂવલય (ઉ. વિક્રમની નવમી સદી)- આ ગ્રન્થમાં કેવળ અંકો છે. ઉપલક દૃષ્ટિએ તો આ ગ્રન્થ “કન્નડ ભાષામાં “સાંસત્ય” નામના છંદમાં રચાયો છે જ્યારે એના પ્રણેતાના કથન મુજબ એ ૭૧૮ ભાષાઓમાં રચાયેલો છે અને એમાં ૧૮ ભાષાઓ મુખ્ય છે. પ્રત્યેક પ્રકરણનો પ્રારંભ એક મૂળાક્ષરથી કરાયો છે. આ ગ્રન્થની એક હાથપોથીના પ્રત્યેક પાના ઉપર ત્રીસ ખાનાં પાડી ત્રીસ અંક લખાયા છે. આ દરેક અંક નાગરી લિપિના એકેક અક્ષરનું સૂચન કરે છે. આ લિપિમાં સ્વર. વ્યંજન. વિસર્ગ. ઇત્યાદિ મળીને ૬૪ અક્ષરો હોવાનું ગ્રન્થકાર માને છે. ઉપર્યુક્ત અંકો સીધી લીટીમાં વાંચીએ તો કન્નડ ભાષાનાં પડ્યો બને છે જ્યારે ૨૧મા અંકને (? ૨૭) ઉપરથી નીચે વાંચીએ તો સંસ્કૃત ભાષાનાં પડ્યો બને છે. અંકો ઊભા વંચાય તો પાઇય ભાષાની કૃતિ નિષ્પન્ન થાય છે. દરેક પંક્તિનો પહેલો પહેલો અંક નીચે વાંચીએ તો ઋગ્વદના મંત્રો બને છે જ્યારે છેલ્લો છેલ્લો અંક વાંચીએ તો ભગવદ્ગીતાનાં પદ્યો બને છે. આ ગ્રન્થનું પરિમાણ છ લાખ શ્લોક જેટલું હોવાનું કહેવાય છે. કર્તા– આ ગ્રન્થના કર્તા એક દક્ષિણી જૈન બ્રાહ્મણ છે. એમનું નામ આચાર્ય કુમુદેન્દુ છે. ઉદયચન્દ્ર એમના પિતા થાય અને વાસુપૂજ્ય પિતામહ થાય એમ દેવધા નામના કવિએ કુમુદેન્દુશતકમાં કહ્યું છે. કુમુદેન્દુ નૃપતિ અમોઘવર્ષ પહેલાના રાજગુરુ થાય છે અને વીરસેનના મુખ્ય શિષ્ય થાય છે. વિષય- આ ગ્રંથમાં જાતજાતના વિષયોને સ્થાન અપાયું છે. જેમકે સંગીતશાસ્ત્ર, ગણિત, ભૂગોળ, રસવાદ, આયુર્વેદ, મનોવિજ્ઞાન, જાતીયજ્ઞાન, તત્ત્વજ્ઞાન, વાદનકળા, કર્મસિદ્ધાન્ત, ભાષાવિજ્ઞાન અને અણુવિજ્ઞાન. આ ગ્રન્થ ઉપનિષદ્ રામાયણ, ભગવદ્ગીતા અને મહાભારત ઉપર પણ પ્રકાશ પડે છે. પ્રસ્તુત ગ્રન્થની રૂપરેખા “જૈન”ના તા. ૨-૧-૬૦ના અંકમાં અપાઇ છે. મુખ્યતયા એના આધારે મેં આ ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ૧. આ ગ્રંથ એક વેળા તો બેંગ્લોરના ભાસ્કરાંત શાસ્ત્રી અને યેલ્લાપ્પા શાસ્ત્રીના કબજામાં હતો. આજે પણ કદાચ તેમ જ હશે. આ છપાયો છે.] ૨. એ આઠ તીર્થકરોની જીવનરેખા રજૂ કરે છે. ૩. એ સમગ્ર ગ્રન્થ છપાતાં ૧૬૦૦૦ પૃષ્ઠ જેવડો થશે એમ અનુમનાય છે. ૪. આમાં એકી અંકને શેષ ન વધે એવી રીતે બેકીથી ભાંગી શકાય છે એ બાબત છે એમ “દિગંબર જૈન” (વ. ૪૫, અં. ૫)માં ઉલ્લેખ છે. અહીં બે સૂર્યો અને બે ચન્દ્રો વિષે પણ આ ગ્રન્થમાં નિર્દેશ હોવાનું કહ્યું છે. ૫. આ વિષયનું આ ગ્રન્થમાં વિસ્તૃત નિરૂપણ છે. ૬. પરમાણુના વિભાજનને પણ અત્ર સ્થાન અપાયું છે. ૭. આ પૂર્વે “દિગંબર જૈન” (વ. ૪૫ અં. ૫) માં અને “પ્રતાપ”ના સૌજન્યથી “હિંદુ મિલન મંદિર” (વ. ૧૩ અં. ૬)માં આ ગ્રંથ વિષે કેટલીક વિગતો અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy