SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ "स्वेदं समुद्वहति जुम्मणमातनोति, निद्रायते किमपि जल्पति वस्तुशून्यम् । __ आशा विलोकयति खं पुनरेव धात्री, भूताभिभूत इव दुर्वदकः सभायाम् ॥" આ પદ્ય સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ કાવિંશિકા વગેરેમાં જણાતું નથી તો એ એમની કોઈ લુપ્ત થયેલી કે કોઈ ભંડારમાં એક ખૂણે પડી રહેલી અને વિદ્વાનોની જાણ બહાર રહેલી કૃતિમાનું હશે. તેમ ન જ હોય તો આ 'અવતરણ એમને નામે ખોટું ચડાવાયું છે એમ ગણાય.' સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૫૫માં જે ઐવિદ્યગોષ્ઠી રચી છે તેમાં (પત્ર આમાં) લક્ષણાનુગામિની અર્થાત્ વ્યાકરણવિષયક ગોષ્ઠી આલેખતી વેળા એમણે નીચે મુજબની જે બાર બાબતો રજૂ કરી છે તે હૈમવિભ્રમનું સ્મરણ કરાવે છે– એક રીતે આ જાતની નાનકડી કૃતિની ગરજ સારે છે(૧-૫) નથી એ “ઇ” ધાતુનું રૂપ છે તેમ ધી'નું પણ રૂપ છે. એવી રીતે ૩તિ એ ૩ન્ ધાતુનું પણ રૂપ છે. “ગ્રા:' પ્રા ઉપરથી પણ ઉદ્ભવે છે. નાર્તિ એ ના ધાતુનું રૂપ છે તેમ નું પણ છે. વળી પશ્ચષ ઉપરથી પશ્ચડૂત એવું પણ રૂપ બને છે. (૬) કયા ધાતુનાં પરસ્પર ભિન્ન-ભિન્ન ૧૩ રૂપ થાય છે એવો પ્રશ્ન ઉઠાવી 4 ઉપસર્ગપૂર્વક $ ધાતુનાં ૧૩ રૂપ દર્શાવ્યાં છે. (૭) નમ રૂપ ગમ્ ઉપરથી જ નહિ પણ ન એવા વૈદિક ધાતુ ઉપરથી પણ નિષ્પન્ન કરી શકાય તેમ છે. | (૮-૯) મા રિરામ ની સિદ્ધિ રે ધાતુ ઉપરથી દર્શાવાઈ છે. એવી રીતે મામિનીમમ માટે માર્ગદર્શન કરાવાયું છે. (૧૦) “માસ' શબ્દનું ભાષ્યકારના મતે માત્મ્યમ્ અને દુર્ગના મતે માણ્યામ્ રૂપ થાય છે. (૧૧) ધમાં “સુનો “y' થાય કે નહિ એની ચર્ચા કરાઇ છે. (૧૨) ગુૌનીયિષતિ પ્રયોગ ‘જ્ઞા+ઓદન' ઉપરથી નિષ્પન્ન કરતી વેળા કયો ન્યાય બળવાન ગણાય તેનો વિચાર કરાયો છે. P ૮૮ “સિદ્ધ-સારસ્વત (લ. વિ. સં. ૧૨૭૫)-મુનિદેવે વિ. સં. ૧૩૨૨માં રચેલા શાન્તિનાથ-ચરિત્રમાં આ વ્યાકરણનો અને સાથે સાથે એના કર્તા તરીકે દેવાનંદસૂરિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ દેવાનંદસૂરિ તે “ચંદ્ર' ગચ્છના દેવભદ્રના શિષ્ય થાય છે અને રત્નપ્રભ, પરમાનંદ અને કનકપ્રભ એ ત્રણના ગુરુ થાય ૧. “સિદ્ધસેનીય દ્વાáિશિકાઓમાંથી અવતરણો” નામનો મારો લેખ “આત્માનંદ પ્રકાશ” (પૃ. ૫૭, અં. ૬)માં પ્રસિદ્ધ થયો છે. ૨. એમની જીવનરેખા અને એમના કૃતિકલાપ વિષે મેં “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી સુરતથી વિ. સં.૨૦૦૫માં પ્રકાશિત ઉપદેશરત્નાકરની મારી ભૂમિકા (પૃ. ૫૯-૮૨)માં વિસ્તૃત પરિચય આપ્યો છે. ૩. આ કૃતિ “લાલબાગ જૈન સંઘ” તરફથી મુંબઇથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે અને એની સંસ્કૃત પ્રસ્તાવના આગમોદ્ધારકે લખી છે.. ૪. આ સંબંધમાં મુનિસુન્દરસૂરિએ જરૂર જણાઇ ત્યાં સિ. હે.નાં સૂત્રો રજૂ કર્યા છે અને એના સંપાદક આગમોદ્ધારકે એ સૂત્રોનાં સ્થાન દર્શાવ્યાં છે. ૫. આની શું એકે હાથપોથી મળતી નથી કે જેથી એ જાતનો ઉલ્લેખ જિ. ૨. કો.માં જણાતો નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy