SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [63] ૬૩ વિશ્રાંતવિદ્યાધર, ભદ્રેશ્વર, પ્રેમલાભ અને નૂતનવ્યાકરણ. જૈનેન્દ્ર અને મુષ્ટિ-વ્યાકરણમાં સૂત્રપાઠ તો છે જ. બાલબોધ, વિદ્યાનન્દ અને શબ્દભૂષણમાં પણ તેમ હશે. શબ્દાર્ણવ વ્યાકરણ જ હોય તો એ માટે પણ એમ જ સમજવાનું રહે છે. શબ્દભૂષણ પદ્યાત્મક રચના છે. પ્રક્રિયા-પ્રન્થોનો મુખ્ય સંબંધ સૂત્રપાઠની જ સાથે છે. એ એની સાધનિકાની દૃષ્ટિએ ગોઠવણી છે. ગણપાઠ પૂરતી સ્વતન્ત્ર મુખ્ય કૃતિ છે: ગણરત્નમહોદધિ અને ગણદર્પણ. વિશેષમાં આ બંને પદ્યાત્મક છે. ઉપસર્ગખંડન વ્યાકરણ-વિષયક કૃતિ હોય તો એ કૃતિ પણ એક રીતે ગણપાઠ સંબંધી ગણાય. ધાતુપાઇને અંગે સિદ્ધિચન્દ્રમણિકૃત ધાતુમંજરી છે. લિંગાનુશાસન તરીકે મિશ્રલિંગકોશ છે. ઉણાદિસૂત્ર પરત્વે “વસુનન્દિકૃત ઉણાદિપ્રત્યય છે. આમ ગણપાઠાદિને લગતી કૃતિઓ છ છે. એ પૈકી છેલ્લી ચારને માટે મેં “આંશિક એવો P-૪૬ નિર્દેશ કર્યો છે. આધ વ્યાકરણ- આપણા આ દેશમાં વ્યાકરણોની રચના ઘણા પ્રાચીન સમયથી હાથ ધરાઈ છે. તેમ છતાં ભગવાન મહાવીર સ્વામીની પૂર્વે કોઈ જૈને-મુનિવરે કે ગૃહસ્થ-સંસ્કૃતમાં વ્યાકરણ રચ્યું હોય એમ જણાતું નથી. એ હિસાબે “ઐદ્રવ્યાકરણ એ વીરશાસનની સ્થાપના કરતાં પહેલાનું છે અને સંદપાહુડ વીરશાસન સ્થપાતાં રચાયું છે. એ જૈનોનાં સૌથી પ્રાચીન-વ્યાકરણો છે પરંતુ એ બેમાંથી એકે આજે તો ઉપલબ્ધ નથી. આથી ઉપલબ્ધ સાહિત્યનો વિચાર કરતાં જણાય છે કે દિ. દેવનન્દિએ જે “જૈનેન્દ્ર-વ્યાકરણ રચ્યું છે તે સમગ્ર ઉપલબ્ધ જૈનવા-કરણોની અપેક્ષાએ પ્રાચીનતમ ગણાય. એવી રીતે ‘યાપનીય” સંપ્રદાયનું આદ્ય વ્યાકરણ તે પાપનીય શાકટાયનકૃત ‘શબ્દાનુશાસન છે. શ્વેતાંબરોનું ઉપલબ્ધ થતું સૌથી પ્રથમ વ્યાકરણ તે બુદ્ધિસાગરસૂરિકૃત “બુદ્ધિસાગર છે. જૈન ન્યાસોમાં તો દિ. દેવનન્ટિએ પાણિનિકૃત અષ્ટાધ્યાયી ઉપર “શબ્દાવતાર નામનો રચેલો ન્યાસ સૌથી પ્રાચીન છે. જયારે વિશ્રાજ્ઞવિદ્યાધર ઉપર મલવાદીએ રચેલો 'યાસ એ સૌથી પ્રથમ શ્વેતાંબરીય ન્યાસ છે. સર્વોત્તમ વ્યાકરણ– સમસ્ત જૈન-વ્યાકરણોમાં “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત સિ0 હેતુ નામનું P-૪૭ વ્યાકરણ એની સાંગોપાંગતા, સરળતા અર્થમાધુર્ય ઇત્યાદિને લઈને કળશરૂ૫ છે. એ એક વેળા ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ હતું અને આજે પણ છે. એ વ્યાકરણ પાણિનીય અણ૦ ઇત્યાદિથી ચડિયાતું છે એમ પ્રબંધચિન્તાણિમાં નિમ્નલિખિત પદ્યમાં સૂચવાયું છે. ૧. આ અજૈન છે એવું માનવા માટે કોઈ સબળ પ્રમાણ જણાતું નથી. ૨-૩ આ બંનેની નોંધ જૈન ગ્રન્થાવલીમાં છે અને જિનરત્નકોશના પ્રથમવિભાગ (પૃ.૨૮૦)માં પ્રેમલાભનો ઉલ્લેખ છે, બાકી એની એકે હાથપોથી કોઇ સ્થળે મળતી હોય તો તેની એમાં નોંધ નથી. આથી મેં એને “અનુપલબ્ધ' કહ્યાં છે. ૪. એઓ દિગંબર હશે. ૫. જુઓ. પૃ. ૬-૭, ૬. જુઓ. પૃ. ૭-૮. ૭. જુઓ. પૃ. ૮-૧૧, ૮. જુઓ. પૃ. ૧૩-૧૪. ૯. જુઓ. પૃ. ૧૭-૧૮, ૧૦. જુઓ. પૃ. ૯. ૧૧. જુઓ. પૃ. ૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy