________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સામવૃત્તિ પદ
( ૩) પ્રતાપે “અવેવસંવેદ્ય પદ” (મિથ્યાત્વ) છૂટી જઈ, “વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત થાય છે. જે કે “વેદ્યસંવેદ્ય પદ પાંચમી સ્થિરા દષ્ટિથી શરૂ થાય છે, તે પણ અહીં દષ્ટિનું–બોધનું સામાન્યથી કથન હોઈ, આ કહ્યું છે એમાં દેષ નથી. અથવા તે સત્પ્રવૃત્તિપદ એટલે શૈલેશીપદ ગણીએ તે પણ વિરોધ નથી, કારણ કે પરમાર્થથી તો તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્યરૂપ સતપ્રવૃત્તિપદ છે. “પદ” એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાનઆમ અવશ્ય કરીને આ “દષ્ટિ”ના પ્રભાવે “વેદ્યસંવેદ્યપદ” કે શેલેશી. પદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દષ્ટિરૂપ પારસમણિના જાદૂઈ સ્પર્શથી આ જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે !
“નિયમ કાંચનતા લહે રેમન મોહન રે લાલ.
લેહ જયું પારસ પામ રે....ભવિ બેહનારે લાલ.”–શ્રી દેવચંદ્રજી અને આ દષ્ટિ પરિસ્થલ ભેદથી આઠ પ્રકારની છે, નહિં તો બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે–
इयं चावरणापायभेदादष्टविघा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥
આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી–વિશેષ , સૂક્ષ્મ ભેદ બહુ ધાર. ૧૮
અર્થ:–અને આ દષ્ટિ,-આવરણ અપાયના એટલે કે આવરણ ટળવાના ભેદને લીધે,-સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદ તો સૂક્ષમભેદથી ઘણું ઘણું છે.
વિવેચન ઉપરમાં જે “દષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો તે દષ્ટિ, આવરણ ટાળવાના ભેદને
નૃત્તિ-ડ્યું –અને આ એટલે હમણાં જ કહ્યા તે લક્ષણવાળી દષ્ટિ, વનrrrrખેત - આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે,-પરિસ્થલ નીતિશ્રી, મgવધા નૃતાપૂર્વાચાર્યોએ આઠ પ્રકારની કહી છે.
સામાન–સામાન્યથી,મેક્ષિકાને, સૂક્ષ્મદષ્ટિને અનાદર કરીને (બારીકીથી જોયા વિના). વિરાવાતુ-વિશેષ તો, સદ્દષ્ટિના વિશેષ ભેદે તે, મૂર-અતિ બહુ, ઘણું ઘણું છે, મેતાસમભેદને લીધે,-દર્શન આદિના અનંતભેદપણાને લીધે, કારણ કે પરસ્પર સ્થાન પતિતપણાએ કરીને તેઓનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org