________________
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માથી નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.
જ્યાં આવે એવી દશા, સદ્દગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ-ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તો સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજજાપર્યત હાડોહાડ વ્યાખ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવૈરાગ્યમાંજ જે જીવ અટકી પડે-આત્મજ્ઞાનના ઇષ્ટ લક્ષ્ય ભણું આગળ વધે નહિં, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત્ જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અર્થે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે.
વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમ જ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” શ્રી આત્મસિદ્ધિ.
આ પરમ ઉપકારી પ્રશમાદિ ગુણ જ્યાં પ્રગટ્યા છે, પરમાર્થથી–તત્વાર્થનું સમ્યફ શ્રદ્ધાન જ્યાં ઉપન્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન-શુદ્ધ આત્માનુભવ થયે છે, એવું આ પરમ ધન્ય, પરમ વંઘ, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન્ વિવેકી સમ્યગુદષ્ટિ દા ચગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત અનુભવાય છે. એટલે જ આ પરમ ધન્ય સમ્યગુઢષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રહસ્ક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે–
એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભમે રે, થાય કૃણુને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, એવા જીવનદેવી અમારી રે.”–શ્રી મુક્તાનંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org