________________
સ્થિરાષ્ટિ : અપવાદરૂપ તીથ કરાદિ સત્પુરુષ
( ૫૦૧ )
ક્રૂડ અનીને ચાલે છે, કે તે સમસ્ત જગતને પેાતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે! અરે! પાતે મૂર્ખ શિરામણ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજનાને પણ હસે છે અપમાને છે! અને કાં તે આ બિચારા શ્રીમંત જના પેતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હૈાય છે, મિલ-કારખાના વગેરે પાપાપાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરાજણમાં એટલા બધા પરોવાઇ ગયા હાય છે, પારકે પરસેવે સચય કરેલે! ધનરાશિ કઇ ગાંઠે માંધવા ને ક્યાં રાકવા તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા આતપ્રાત થઇ ગયા હાય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીઘ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા ખંધા વ્યગ્ર ખનૌ ગયા હાય છે,−કે આ બાપડા ગદ્ધાવૈતરૂ કરનારા શ્રીમંત શાંતિથી ભ્રાજન પણ લેતા નથી! ચિંતામગ્ન થઇ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન-મધના પાતે સંચય કરે છે, તેના આસ્વાદ લેવાથી પાતે જ વાંચિત રહે છે ! જે ધનના મધપુડા પાતે ખાંધે છે, તે જાણે પારકા માટે ૮ મૂકી જવાને ” જહાયની એમ પરગજુ-પરાપકારી અને છે! વેઠીઆ પેાઠીઆ ખની પારકી વેઠ કરે છે! પણ પ્રમાદ છેાડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઇ છે, થાય છે, તે થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજી કાઇ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવુ મુશ્કેલ છે. સાયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતના પ્રભુના ધામમાં પ્રવેશ થવા સંભવતા નથી, એવા આશયનું મહાત્મા ઈસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે ખરાખર લાગુ પડે છે:-- It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.'
“ સાહ્યબી સુખદ હોય, માન તળેા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનુ'? જુવાનીનુ જોર હાય, એશનેા અકાર હાય, ઢાલતનેા દાર હાય, એ તે સુખ નામનુ વનિતા વિલાસ હાય, પ્રૌઢતા પ્રકાશ હાય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનું, વન્દે રાયચ'દ એમ, સદ્ધને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તે એએ જ બદામનું.” – શ્રીમદ્ રાજચંદ્રજી
આમ સ્વર્ગોમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મ પસાયે પુણ્યાદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઇ જાય છે. એટલે પરિણામે આ ધર્માંજનિત ભાગસોંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માથી ચકાવી દેનાર–વંચિત કરનાર નીવડે છે; માટે આ ધનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુ:ખરૂપ જ છે.
અત્રે પ્રાયે-ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આક નારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org