________________
મુક્તતત્ત્વમીમાંસા : ભવરાગીની વિવિધતા, ચિકિત્સા, “મહા” રેગ કેમ? (૬૩૭ ) છે, સાજોતાજે-હૃપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, તેમ
યથાયોગ્યપણે સમ્યફ રત્નત્રયીરૂપ ઓષધ પ્રયોગથી ભવરગ નિર્મળ આરોગ્ય થતાં જીવ ની રેગી-ભાવ આરોગ્ય સંપન્ન બને છે, સાતા-નિરામય સ્વાથ્ય તથા શુદ્ધ ચિંતન્યરસના પાનથી હૃષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ
નિમગ્ન સહજામસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઇત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય-સરખાપણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગ્ગદર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું.
વળી આ ભવરોગને “મહા’ કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પોતપોતાના વર્ગમાં-જાતિમાં જે શ્રેષ્ઠ–મોટો હોય તે “મહા” કહેવાય છે. દા. ત. મહાકવિ, મહારાજા,
મહાવીર, મહામુનિ; અને ભવરોગનું મહતુપણું–મોટાપણું અનેક પ્રકારે મહા” રોગ છે. જેમકે-(૧) માણસના શરીરમાં ઉપજતે રેગ અમુક મર્યાદિત કેમ કહ્યો? સમય સુધીને અથવા વધારેમાં વધારે માવજ જીવ–આ જીદગી પર્યત
ટકે એવો હોય છેપણ આ ભવરગ તો અનાદિ કાળથી આ જીવને લાગુ પડે અને ભવોભવ ચાલી આવેલ હેઈ, હજુ પણ આ જીવન કે મૂર્તિ નથી! આમ અતિ અતિ દીર્ઘ રિથતિને (Duration) લઈ આ ભવરોગ “મહાન” છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતે રેગ જે કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરોગથી નરકાદિમાં (જુઓ ગાથા પૃ. ૨૦૨ ફૂટનોટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હોય છે કે તેની પાસે ગમે તેવો આકરો રોગ કંઇ વિસાતમાં નથી. રોગથી જે શારીરિક-માનસિક દુ:ખ ભોગવવું પડે છે તેના કરતાં અનંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરેગથી વેઠવું પડે છે. ચારે ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુઃખ વેદના-યાતના ખમવી પડે છે. આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity) પણ ભવરોગની મહત્તા છે. (૩) બાહ્ય રોગને સાધવો-મટાડે એ કાંઈ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભાવગ સાધ-મટાડવો એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કુછુસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરોગ “મહાન” છે– મોટો છે. (૪) બાહ્ય રોગ અતિ તીવ્ર હોય તે કવચિત એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર વિરોગ તો સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામદષ્ટિથી પણ આ ભવગ અતિ મોટો છે.
ઈત્યાદિ પ્રકારે આ ભવ-સંસાર ખરેખર મહારોગ જ છે. એને મીટાવવાને વિવેકી બદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક
જીંદગીના એક સામાન્ય રોગને મટાડવાને લોકે કેટલી બધી જહેમત મુમુક્ષનું કર્તવ્ય ઊઠાવે છે? કેવા આકાશ પાતાળ એક કરે છે? કેટલા વેધડાક્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org