Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 830
________________ (૭૩૪). ગદરિસમુચ્ચય અસાધુ કે કુસાધુને સત માની લીધા હોય, તો આ પેગ બનતો નથી, એગ અગરૂપ થાય છે, માટે જેની સાથે વેગ થવાનો છે, તે સત્-સપુરુષ સાચા ભાવસાધુ-ભાવચોગી હોવા જોઈએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓને, બાહ્ય વેષધારી સાધુ-સંન્યાસીબાવાઓને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓને કાંઈ તેટે નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, બેટા રૂપીઆ જેવા, દ્રવ્યલિંગીઓથી “કાંઈ શુકરવાર વળતું નથી,” આત્માનું કાંઈ કલ્યાણ થતું નથી. (જુઓ પૃ. ૧૨૮–૧૨૯). (૨) બીજું -આવા પુરુષ સદૃગુરુ વિદ્યમાન હોય, પણ તેને દર્શન જેગ જે ન થાય, સમાગમ-પરિચય ન થાય, તો શું કામ આવે? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તો શું કામનું? કામદુધા કામધેનુ મળી હોય પણ તેની આરાધના ન થાય તે શું કામનું? સાક્ષાત પરમામૃતનો મેઘ વરસતે હોય, પણ તેને ઝીલવામાં ન આવે, તો શું કામનું? માટે સંતના દશન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે. (જુઓ પૃ. ૧૬૨, “પરિચય પાતક ઘાતક સાધુ” ઈ.) (૩) ત્રીજું–બાહ્યથી સંતના દર્શન–સમાગમ થાય, પણ અંતર્થી સંતનું તથા પ્રકારે સંતરવરૂપે દર્શન ન થાય, સસ્વરૂપે ઓળખાણું સ્વરૂપનું ન થાય, તે તેને બાહ્ય સમાગમગ પણ અગરૂપ થાય છે, નિષ્ફળ તથાદર્શન થાય છે. અથવા સપુરુષ મળ્યા હોય, પણ તેનું આંતર્દશન ઓળખાણ થઈ શકે એવી પિતાનામાં યોગ્યતા ન હોય, તે પેગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે પુરુષ હેય, તેના બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે આત્મદશન” ન થયું હોય તે શું કામનું? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષને ચેગ અગ થાય છે--અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે સત્પરુવનું તથાદર્શન ન થયું, તેથી તે યોગ અફળ ગયે, માટે પુરુષના યોગની ખરેખરી રહસ્ય ચાવી (Master-key) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણું થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક યોગ થાય છે. આ “અવંચક” એટલે શું ? વંચક નહિં તે અવંચક વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિં તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, એવો અમેઘ, અચૂક, અવિ સંવાદી, રામબાણ તે અવંચક. યુગ એ કે કદી વંચે નહિં, ખાલી ગ અવંચકે જાય નહિં, તે ગાવંચક. આ ચગાવંચક બાણુના લય તાકવા એટલે? બરાબર છે. (જુઓ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬). બાણુની લક્ષ્યક્રિયામાં પ્રથમ પગથિયું લયને–નિશાનને બરાબર તાક્યું ( Aining ) તે છે. તે લય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિંધવાની ક્રિયા બને છે. તેમ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866