Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 822
________________ ( ૭૨૬) થગદરિસમુચ્ચય અર્થ:-વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમમાં ધેર્ય જાણવું અને તે ત્રીજે યમ જ-સ્થિર યમ જ છે. વિવેચન અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે વિશિષ્ટ પશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહીં યમોમાં સ્થિય છે અને તે જ ત્રીજે સ્થિરયમ છે. એટલે આ અહિંસાદિ યમનું પાલન એવું તો સુદઢ થઈ જાય કે રખેને ભૂલેચકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. | પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર–દેશભંગ અતિચારાદિ આદિ દેષને સંભવ હતું, અને અહીં સ્થિરયમમાં તે એટલું ચિંતારહિતપણું બધું સ્થિરપણું થઈ જાય છે કે અતિચારાદિ દોષનો સંભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિંસાદિના પ્રતિપક્ષી હિંસાદિ દોષની સંભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાને, અતિચાર લાગવાને, વ્યાઘાત થવાનો ભય હતા, પણ હવે અહીં તો તેવા ભયને અવકાશ નથી. પૂર્વે અતિચારરૂપ કંટક વિનને, હિંસાદિરૂપ જવર વિનાનો, અને મતિમોહ-મિથ્યાત્વરૂપ દિમોહ વિદતનો ભય રહ્યા કરતો હતો, પણ હવે તેવા કોઈ વિદતને ભય રહેતો નથી. યોગમાર્ગે નિવિદન નિશ્ચિત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માળે પ્રવૃત્તિ કરતો હોય, તે માર્ગને અજાણ હોઈ તેને ઠેકર પણ લાગે છે, વિનો પણ આડા આવે છે, એટલે ઠોકર ન લાગે, વિદને આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે, પણ પછી રસ્તાને રીઢે માહિતગાર મિયે થઈ જતાં તેને ઠોકર લાગવાની કે વિદને નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ગમાણે જે પ્રથમ પ્રવૃત્તિ કરતે હોય, તે માર્ગને અજાણ-અનભ્યાસી હોઈ, તેને અતિચારાદિરૂપ ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિદનો પણ નડે છે, એટલે પુના ખલના ન થાય, વિદને આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં-ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માર્ગને સુજાણ–અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ ખલના થવાની કે હિંસાદિ વિદને નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક અહિંસાદિ વેગમા ગમન કર્યા કરે છે. પ્રારંભક ભેગી “કાચ” હેઈ તેને હજુ ખલનાને-અતિચારને સંભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી યેગી “પાકે ” થઈ ગયો હોવાથી તેને ભૂલેચૂકે પણ ખલનાને સંભવ નથી. (૧) નિશાળીઓ” પાઠ લે તેમાં ભૂલચૂક થવાનો સંભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866