________________
(૬૭૨ ).
ગહસ્થય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચગદષ્ટિ સમુચ્ચયરૂપ પરમ ગામૃત વહે છે. અને સાગરનાં મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દે જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્ય દેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતનો રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમર જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ચેગામૃતનો રસાસ્વાદ આ અમર કુતિ સર્જનારા આ પરમ અમૃતસવરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે, અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન બળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તો સંક્ષેપનો વિસ્તાર કર રહે છે, પણ વિસ્તારને સંક્ષેપ કરવો રહેલે નથી. કારણ કે વિરતારને સંક્ષેપ કરવામાં ઘણું ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ-અધૂરું નહિં, પગ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કોઈ પુરુષની પ્રતિકૃતિ- છબી (Portrait ) તે પુરુષ પ્રમાણુ ( Life-size ) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ” કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે.
સંક્ષેપનો પર્યાય શબ્દ “સમાસ' પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થોડા શબ્દોમાં ઘણા અર્થને સમાસ કરે-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં
અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્ર માસમાં અનંત અર્થ અવગાહવાની-સમાવવાની પરમાર્થ અદ્દભુત શકિત છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ
સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તો સાવ સાદે-ઊંડે નહિં હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તો તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તો તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્દભુત આશયવાળી અવગાહન શકિત-સમાસશકત આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ પુરુષની હથેટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અર્થભર્યું મહાવચન બની જાય છે. આત્માનુભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ
સુવર્ણ’ બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પટ” પરમ “પદ પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org