Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 792
________________ યાયામકૃષય “ભવ દવ હે પ્રભુ! ભવ દવ તાપિત જીવ; તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમી જી. ”-શ્રી દેવચંદ્રજી. " संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरम् । માચાર સારાવારસી, નમામિ વીર જિરિતારવીન્ ”–શ્રી હરિભદ્રાચાર્યજી. અથવા (૬) મહાકણિધરના હંસથી ઝેર ચઢવાથી કે મનુષ્ય મૂછિત-બેભાન થઈને પડ્યો હોય, તેને કઈ ગાડિક જાંગુલિમંત્રથી ઝેર ઉતારી પુનર્જીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કેટલી બધી પ્રીતિ ઉપજે ? તો પછી મહામેહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ-ઝેર ચડ્યું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનું ભાન ભૂલી મોહમૂચિંછતબેભાન બન્યો હતો. તેને સહજાન્મસ્વરૂપ પ્રકાશનારા અપૂર્વ સમ્યગદર્શન મંત્રયેગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ સદ્દગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આયે, અને સમ્યકૂવ અમૃત છાંટી યેગિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપે, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્દ સદ્દગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ? મિચ્યા હે પ્રભુ! મિથ્યા વિષની બીવ; હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમી છે.”—શ્રી દેવચંદ્રજી. આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ ભેગીને પરમ પ્રેમ ઉલ્લસે છે, એટલું જ નહિં પણ શ્રીમદ્દ સરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમાત્તમ ગુણગણ પ્રત્યે કઈ પણ ગુણાનુરાગી સાચા સજજનને ઉપકારી સદ- કુદરતી પ્રેમ કુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્દ સદ્દગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તો “સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે, અથવા “સદ્દગુરુ” એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત સર્વ “સત” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે; કારણ કે આખા જગત કરતાં ગુરુ, ભારી, ગોરવવંત એવા શ્રી સદગુરુ જ છે. એક બાજુ આખું જગત મૂકીએ ને બીજી બાજુ સદ્દગુરુ મૂકીએ, તો સદ્દગુરુનું જ પલું નમી પડશે. એટલે જગદગુરુ શ્રી સદગુરુ જ છે. અથવા સત્-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સસ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું, છતું, વર્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનું સતસ્વરૂપ છે, સંતસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે, અથવા “સંત” એટલે શાંત,-પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદેડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત”. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ સદ્દગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દે જ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866