Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 731
________________ મુક્તતત્વમીમાંસા ભવરોગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચોક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રોગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાને કે અસાધ્યતાનો નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, રેગ્યતા-અમૃતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવન ભવરગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુઃસાધ્ય છે? કે અસાધ્ય છે? તેનો પ્રાનિર્ણય (Prognosis ) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઓષધિની તાત્કાલિક ઘણું સુંદર અસર થાય તો જેમ રોગીને રેગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવન પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણું સુંદર અસર થાય છે, તે જીવ કેનકટભવ્ય છે અને તેનો વિરોગ અસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રેગી પર પ્રોજેલ ઓષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુઃસાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઓષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તો તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભરોગ દસાધ્ય છે (Difficult to cure ) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટકી” લાગતી નથી, “પથર પર પાણી ઢળ્યા” જેવું થાય છે, ને રોગ ઉલટો વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કોટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદ્ઓષધોની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સદ્દભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડો કરે ને કોરો ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રોગ ઉલટો વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કોટિનો (Incurable ) છે, અને તેને ભવરોગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રોગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રોગી–ગીમાં પણ ફરક હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કેઈ અણસમજુ, કેઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રોગીની હોય છે. કારણકે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866