SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્વમીમાંસા ભવરોગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચોક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રોગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાને કે અસાધ્યતાનો નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, રેગ્યતા-અમૃતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવન ભવરગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુઃસાધ્ય છે? કે અસાધ્ય છે? તેનો પ્રાનિર્ણય (Prognosis ) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઓષધિની તાત્કાલિક ઘણું સુંદર અસર થાય તો જેમ રોગીને રેગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવન પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણું સુંદર અસર થાય છે, તે જીવ કેનકટભવ્ય છે અને તેનો વિરોગ અસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રેગી પર પ્રોજેલ ઓષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુઃસાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઓષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તો તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભરોગ દસાધ્ય છે (Difficult to cure ) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટકી” લાગતી નથી, “પથર પર પાણી ઢળ્યા” જેવું થાય છે, ને રોગ ઉલટો વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કોટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદ્ઓષધોની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સદ્દભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડો કરે ને કોરો ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રોગ ઉલટો વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કોટિનો (Incurable ) છે, અને તેને ભવરોગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રોગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રોગી–ગીમાં પણ ફરક હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કેઈ અણસમજુ, કેઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રોગીની હોય છે. કારણકે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy