________________
(૪૩૬ )
યોગદષ્ટિસમુચ્ચય તેમજ –
ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्ती धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥
મુમુક્ષુઓને તત્ત્વથી, ગ્રહ અયુક્ત સર્વત્ર;
ધય પાયે મુક્તિમાં, ત્યા–એથી શું અત્ર? ૧૪૮ અર્થ–સર્વત્ર ગ્રહ તત્વથી મુમુક્ષુઓને અસંગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે ત્યજવાના હોય છે, તે પછી આ ગ્રહથી શું?
વિવેચન છેડો મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૯પ. ”-– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ
મુમુક્ષુએ તત્વથી કયાંય પણ ગ્રહ રાખવો યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાચે છોડી દેવા પડે છે. તો પછી આ ગ્રહથી શું ?
મોક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તર્ક ગ્રહ છોડી દે યોગ્ય છે, એટલું જ નહિં, પણ કયાંય પણ કઈ પણ વસ્તુનો ગ્રહ પણ ત્યજી દે જોઈએ. માટે સર્વ મત
દર્શનનો આગ્રહ તેમ વિકલ્પ છોડી દઈ, તેમ જ અન્ય સર્વ પ્રકારને કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ યથોક્ત મોક્ષમાર્ગ જ આરાધો યુક્ત નથી એગ્ય છે, કારણ કે મુમુક્ષુને એકાંત હેતુ કોઈ પણ પ્રકારે મોક્ષની
પ્રાપ્તિ કરવી તે જ છે. અને મોક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્મો સિવાય બધુંય છોડયે જ છટકે છે. અરે! ક્ષમાદિક સાપશમિક ધર્મો પણ મોક્ષમાં છોડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ હાની તો શી વાત કરવી ? સર્વ ગ્રહથી મુક્ત થયા વિના માર્ગ સન્મુખ પણ ન થવાય, તો મુક્ત તે કેમ જ થવાય? તે પછી આ “રાખના પડીકા” જેવા દુષ્ટ ગ્રેહાને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે? ને એ ગ્રહ જેવા હેને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુઃખથી ગૃહીત થાય ?
ધર્મ ક્ષમાદિક પણ મિટે, પ્રગટે ધર્મ સંન્યાસ તે ઝઘડા ઝંઝા તણેજી, મુનિને કવણ અભ્યાસ. ”
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણ.”—. દ. સક્ઝા. ૪-૨૨ । इति सर्वशादि अतींद्रियार्थानुमानागोचरत्वाधिकारः ।
વૃત્તિ-- પ્રા-ગ્રહ, સર્વત્ર-સર્વત્ર, સર્વ વસ્તુમાં, તન-તરસથી, પરમાર્થથી, કુમુદામરંત-મુમુક્ષુઓને અસંગત છે—અયુક્ત છે. કયા કારણથી ? તે કે-નુ ઘમ મા કાત્યા. કથા -મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે લજવા પડે છે,-પ્રાયનું ગ્રહણ ક્ષાયિક ધર્મોના વ્યવચ્છેદ (અપવાદ) અર્થે છે, મિનેન તો પછી આ ગ્રહથી શું ? કંઈ નહિ, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org