________________
પ્રાષ્ટિ : ડીઝા દષ્ટિને સાર
(૪૪૭) ભેગવિરક્ત જનો ભવાતીત અર્થગામી છે. તેઓને માર્ગ એક જ શમપરાયણ એવો છે,
અને અવરથાભેદનો ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ મુમુક્ષુને એક જ એક જ છે, કારણ કે સંસારાતીત પર તત્વ “નિર્વાણુ” નામનું છે, તે શમમાર્ગ શબ્દભેદ છતાં તત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા,
તથાતા આદિ શબ્દોથી અન્વથથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણના અવિસંવાદથી નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું આ પરં તત્વ જન્માદિના અગથી હોય છે. એટલે અસંમોહથી તત્વથી આ નિવણતત્ત્વ જાણવામાં
આબે, પ્રેક્ષાવતને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતા જ નથી. નિર્વાણ અને આ નિર્વાણ તત્વ નિયમથી જ સર્વ પૂર્વક સ્થિત છે. આ તત્ત્વ એક જ સર્વજ્ઞરૂપ જજુ માર્ગ નિર્વાણને નિકટમાં નિકટ માગે છે, તો તે
સર્વાનો ભેદ કેમ હોય? અને તે ન હોય તે તેના ભકતોનો ભેદ કેમ હોય ?
પુદગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તાજી, ભેદ લહે જગ દિન....મન ”
ત્યારે હેજે શંકા થશે કે તે પછી તે સર્વની દેશનાનો ભેદ કેમ છે? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી–ગુ થાય એવા અનુકૂળપણાથી તે ચિત્ર-નાના
પ્રકારની છે. કારણ કે ભવરોગના આ ભિષવરોએ જેને જે પ્રકારે દેશના ભિન્ન- બીજાધાન આદિનો સંભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દીધું છે. તાને ખુલાસો અથવા તો બીજું કારણ એ છે કે એની દેશના એક છતાં
T શ્રોતાઓના વિભેદથી તેઓના અચિત્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વને યથાભવ્ય–ોગ્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાદિના નિયોગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ
થકી જ પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞ જ કતર્કગ્રહ છે. એટલા માટે તે સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તેનો પ્રતિક્ષેપત્યાજ્ય વિરોધ કર યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થકર
છે. એટલે આ સર્વજ્ઞ વિષયમાં અંધ જેવા છદ્મસ્થાએ વાદવિવાદ કરે યુક્ત નથી, માટે મિથ્યાભિમાનના હેતુપણાને લીધે શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છોડી દેવા ગ્ય જ છે. મુમુક્ષુને તો તત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ છેડી દેવા પડે છે, તો પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું?
“ધર્મ ક્ષમાદિક પણ મટે છે, પ્રગટે ધર્મ સંન્યાસ તો ઝઘડા ઝંઝા તણેજી, મુનિને કવણ અભ્યાસ ?....મન ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org