________________
પ્રાદષ્ટિ ! તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર
(૩૬૯) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામર્થ્ય વગેરેમાં તેવો તે યથોક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિસ્તારથી વર્ણવ્યા છે. તેમાં કોઈની સ્થિતિ ઓછી હોય છે, કેઈની વધારે હોય છે. કોઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કેઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્ર-તેજસ્વી હોય છે. કોઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પોતપોતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાન-વિમાન આદિ પણું ચિત્ર પ્રકારના હોય છે. કારણ કે એમ છે—
तस्मात्तत्साधनोपायो नियमाचित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वम कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથ ચિત્રજ હોય;
કદી ભિન્ન નગરે તણે, મારગ એકજ નોય, ૧૧૪ અર્થ–તેથી કરીને તે દેવોના સ્થાનની સાધનાનો ઉપાય, નિયમથીજ, ચિત્રજૂદા જૂદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગરોને માર્ગ કદી પણ એક હાય નહિં.
વિવેચન અને આમ તે તે સંસારી દેવોના સ્થાને ભિન્ન ભિન્ન છે, જૂદા જૂદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જૂદા પ્રકારના હોય છે. આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરો પ્રત્યે જવાનો માર્ગ કદી પણ એક હોય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિહી વગેરે જૂદી જૂદી દિશામાં આવેલા શહેર ભણી જવું હોય, તો તેને રસ્તા પણ જુદી જુદી દિશામાં જતા હોય, એક ન હોય નહિ તો તે તે નગરોનું ભિન્નપણું ઘટે
વૃત્તિ –તwત્ત- તે કારણ થકી, તરસાધનોપાય તેના સાધનને ઉપાય, તે સંસારી દેના સ્થાનના સાધનને ઉપાય, નિરમાચિત્ર પર્વ હિં-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેકપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે–મિશ્નનરાળાં ચા-ભિન્ન નગરોને ન હોય, ઘઉં વર્ક કરાવનએક માગ કરી પણ, તેવા પ્રકારે તેના ભેદની અનુપત્તિને લીધે.
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org