________________
મિરાશિ : જ્ઞાનનો આશય, પુરુષાર્થ પ્રેરશ્ના
ભવચક્રનો છેલ્લે આંટે છે, એમ જાણવું. આ બાહ્ય ચિહ્નો પરથી ભવસાર બોધ ચક્રનો છેલે ફેરો બાકી છે, એવું અનુમાન થઈ શકે છે. બાકી વિશેષ
તો અતીન્દ્રિય એવા ગીજ્ઞાનને ગમ્ય છે, માટે ચરમાવર્ત માં આવવું હાય, ભવને છેલ્લે ફેરો કરવો હોય, ને ગબીજની વાવણી કરવી હોય, તો આ લક્ષણેગુણે આત્મામાં પરિણમાવવા જોઈએ; દુઃખીની અત્યંત દયાથી હૃદયને કોમળ-આ કરવું જોઈએ, ગુણ-અષથી ચિત્તભૂમિ ચોકખી કરવી જોઈએ, ને સર્વ જીવની યોચિત સેવા કરી વિવવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે બેધ આપે.
અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય છે કે-કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે, ત્યારે આપણે માર્ગ પામશું, માટે આપણે તે તેની રાહ જોયા કરશું,-એવું ખોટું આલંબન પકડી આળસુ-પ્રમાદી થવા ગ્ય નથી, પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેનો ઊલટો અનર્થકારી અર્થ કરવા ગ્ય નથી. જ્ઞાની પુરુષનો ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં; પુરુષાર્થની જાતિ જ પ્રેરે. માટે જ્ઞાનીને આશય સમજવો જોઈએ.
આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણતા નથી. પણ તે ભવ્યતાનો પરિપાક કરવાનો પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા-ગ્યતા
કેમ જલદી પકાવવી તેનો પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. પુરુષાર્થ પ્રેરણું આપણી પાત્રતા-ગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે
પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે-મગમાં પાકવાની યોગ્યતા છે, પણ તે ચૂલે ચડાવીએ તે પાકે, એની મેળે કોઈ કાળે પાકે નહિં. તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા–ગ્યતા આણવાનો પ્રયાસ ન કરીએ, તો એની મેળે મેગ્યતા આવે નહિં. એટલા માટે જે પરમાર્થની ઈચ્છા હોય, તો કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં ગ્યતા–પાત્રતા જેમ આવે તેવા ઉપાય લેવાનો સત્ય પુરુષાર્થ કરવો જોઈએ અને તેવા ઉપાયમાં પ્રાથમિકમાં પ્રાથમિક જે ઉપાયદયા વગેરે અહીં સ્પષ્ટ બતાવ્યા છે, તેનો આશ્રય કરી આત્માર્થ સાધવો જોઈએ; શુદ્ધ નિમિત્તકારણના પ્રબળ અવલંબનથી ઉપાદાન પ્રગટાવવું જોઈએ, -કે જેથી કરીને ભવપરિણતિ છેલલા પુદગલાવામાં આવી ઉભી રહે, ભવનો છેલે ફેરો બાકી રહે, ને તેમાં પણ જેમ બને તેમ ઓછા ભાવ કરવા પડે. આમ અત્રે ઇવનિ છે. આની સાથે સંવાદી એવા પરમ પુરુષાર્થ પ્રેરક વીરગર્જનારૂપ સત્ય વચનો વર્તમાનયુગના પરમ સંત-ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યો છે –
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org