________________
માણિતત્ત્વશ્રવણુ મધુરજલથી ગબીજ અંકુર
(૪૭) આમ આગલી મિત્રા આદિ દષ્ટિએમાં જે વેગ- બીજોનું ચિત્તભૂમિમાં રોપણ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત તે પરિપષણથી વૃદ્ધિ પામે છે. એટલે
પ્રભુભક્તિ–પરમાત્મા અહંત ભગવંત પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર ગબીજ અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય અંકુર ભાવવાળી, આહારદિ દશ સંજ્ઞાથી રહિત, અને ફલકામના વિનાની
- નિષ્કામ એવી હોય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનું ચિત્ત અત્યંત ચોકખું હોય છે, સંશુદ્ધ-નિર્મલ હોય છે. આવી અકુઠિત ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વર્ગ થઈ પડે છે, એમ યોગી જનેને અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત
ગીજનો પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે હે પ્રભુ! અમે તમને અમારા મન-ઘરમાં પધરાવશું એટલે તેની શોભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે!
મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; સાહેબા વાસુ” “મન વૈકુંઠ અકુંઠિત ભકત, યેગી ભાખે અનુભવ યુકતે. સાહેબા વાસુ”—શ્રી યશોવિજયજી.
સદગુરુભક્તિ-સમાગે ચઢાવનાર શ્રીમદ્દ સદગુરુ ભગવાન્ પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલસે છે; ભાવગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–બહુમાન હોય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ-સેવા કરે છે, તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સત્શાસ્ત્રભકિત–પરમ ઉપકારી એવા સમાર્ગદર્શક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સ્ફરતી જાય છે. સત શ્રતના લેખન-પૂજન-દાન-ચિંતન-ભાવન-સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ગબીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સંસાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતે સહજ વૈરાગ્ય અત્ર બળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુદખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉગ ઉપજે છે. ઈત્યાદિ ગબીજ અત્રે પરિપષણ પામી યેગ-અંકુરપણાને પામે છે.
આને જ ભાવાર્થ કહે છે–
क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलो मतः ।
मधुरोदकयोगेन समा तत्त्वश्रुतिस्तथा ॥ ६२ ॥ ત્તિ-ક્ષારાતુય દુદ મવથોડવો મત -અને અહીં સમસ્ત સંસારયોગ ખારા પાણી બરાબર માનવામાં આવ્યા છે,-અતરવશ્રવણરૂપ ૫ણ ( તેમજ છે ). મધુરજન સમા સરગથ્થતિસથા-તથા મધુર જલના યોગ સમાન તકૃતિ (તત્ત્વશ્રવણ) માનેલ છે. તેના અંગપણુથી તસ્વકૃતિ પણ (તેમજ છે ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org