________________
( ૨૭૪ )
યોગદૃષ્ટિસમુચ્ચય
એવાં પ્રારબ્ધ કર્મ થી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેના પ્રતિબંધ ઘટે નહિં. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અ ંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યકૃષ્ટિપણું તે જીવને હાય છે.
“ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાલ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહિ', એમ જે કહેવાય છે તે યથાર્થ છે. × ×× પરમા માનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુ:ખમાં કાયરપણું કદાપિ બીજા જીવાનુ પણ સ`ભવે છે. પણ સ’સારસુખની પ્રાપ્તિમાં પશુ કાયરપણું, તે સુખનું અણુગમવાપણું, નીરસણ પરમા માગી પુરુષનું હોય છે. ”
(વિશેષ માટે જીએ )—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫.
આમ સભ્યષ્ટિ પુરુષની સમસ્ત સ ંસાર ચેષ્ટા, ભાવપ્રતિબધ વિનાની હાય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્ર્વર ભગવાન્ છે. . તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યધી વાસિત હતા. ભેગી છતાં યેાગી હતા, સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિર્લેપ રહ્યા હતા. આવું તેમનું લેાકાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યના આચાય જેવા સમર્થ કવિવર યશૈાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે~
66
રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વેરાગ;
ચિત્ત તમારા રે સમુદ્રને, કોઇ ન પામે હૈં। તાગ....શ્રીશ્રેયાંસ કૃપા કરી ” શ્રીયોવિજયજી.
" यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्कत्वं तदापि ते ॥ શ્રો હેમચ`દ્રાચાર્ય કૃત શ્રી વીતરાગસ્તવ.
29
અને એવુ જ ઉજ્જવલ જીવતું જાગતું વલ’ત દૃષ્ટાંત વમાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મયેગી સભ્યષ્ટિ વીતરાગ પુરુષે પેાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂ પાડયું છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં આતપ્રાત ગુંથાયેલુ છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્યત અલેાકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરિકે—
“રાત્રિ અને દિવસ એક પરમા વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે,
આસન પણ એ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org