________________
મિત્રાદષ્ટિ: સાર
(૧૭૩)
આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પોતાના આત્મામાં તેવા તેવા ગુણે પ્રગટ્યા છે કે નહિ, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે, તે પિતાનામાં તેવા ગુણ નહિ પ્રગટ્યા
છતાં, પિતાનું સમકિતીપણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસનારા લોકોના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા બ્રાંત ખ્યા દૂર થવાનો સંભવ છે. સારબોધ સમ્યગ્રષ્ટિની મંજલ તો હજી ઘણું લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત
પણ હજુ થઈ છે કે નહિં, “પાશેરામાં પહેલી પૂણું” પણ કંતાઈ છે કે નહિ, પહેલા ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દષ્ટિના ગુણે ઉપરથી આત્માથીંએ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી “સુયશ વિલાસનું ટાણું જેમ જલદી મળે તેમ કરવાનું છે ! “કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હૈયે, સુયશ વિલાસનું ટાણું રે...વીર”—શ્રી યોગ સજઝાય ૨-૧૫
GALLEREOL 2012-( Summary) સમસ્ત જગતુ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિવૈર બુદ્ધિ અહીં પ્રગટે છે, એટલે આને મિત્રા' નામ ઘટે છે. અત્રે દર્શન-બોધ તૃણ અગ્નિકણના પ્રકાશ જેવો મંદ હોય છે. વેગનું પ્રથમ અંગા-યમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશયદષનો ત્યાગ હોય છે, અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે.
અહીં સ્થિતિ કરતો યોગી પુરુષ ઉત્તમ ગબીજોનું ગ્રહણ કરે છે. મુખ્ય યોગબીજ આ છે:-(૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવગી એવા ભાવાચાર્યરૂપ સદગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સંસાર પ્રત્યે સહજ એ અંતરંગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સતશાસ્ત્રની આરાધના, (૬) યોગબીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ.આ ઉત્તમ ગબીનું ગ્રહણ, આત્માને ઘણે ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યોને હોય છે. અને આ ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવત્તમાં તથાભવ્યતાના પરિવાથી ઉપજે છે. આ છેલ્લા પુલાવર્તામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અષ, (૩) સર્વ કેઈની અભેદભાવે યથોચિત સેવા.
આવા લક્ષણવાળા ભદ્રમૂર્તિ મહાત્મા જીવને અવંચકવ્રયના ઉદયરૂપ શુભ નિમિત્ત મળે છે; સદગુરુ પુરુષના વેગથી વેગવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આને બાણુની લક્ષ્મક્રિયાની ઉપમા બરાબર ઘટે છે. આ અવંચકની પ્રાપ્તિ પણ પુરુષ સદ્દગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે–આમ ભાવમલની અદ્રુપતાથી પુરુષ પ્રત્યે પ્રામાદિની પ્રાપ્તિ, તે પ્રણામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org