________________
પ્રાપ્ત થશે. ”
ચિત્ત પ્રસન્નતાને આ બધે પ્રભાવ વાણીથી ન વર્ણવી શકાય તે ગહન છે. એગિઓને આ જગતમાં સૌથી વધુ સુખી ગણવામાં આવે છે, ત્યાં પણ તેમને જે સુખ હોય છે, તે ચિત્તસ્વાશ્યના ઘરનું જ સુખ હોય છે.
આ ચિત્ત પ્રસન્નતા અકસ્માત પ્રાપ્ત થતી નથી, પણ ઉપર કહ્યું છે, તેમ જિનાજ્ઞાપાલનના પરિણામપૂર્વક દીર્ઘ કાલ સુધી આદરપૂર્વક ક્રિયા યોગના અભ્યાસથી જ સુલભ બને છે. શ્રી જિનાજ્ઞાપાલનના પરિણામે શીધ્ર ચિત્ત પ્રસન્નતા પ્રગટે છે. ચિત્ત પ્રસન્નતાને એ રાજમાર્ગ છે. ધર્માનુષ્ઠાનને કોઈ વાસ્તવિક માપ દંડ હોય તે તે ચિત્તપ્રસન્નતા છે. શ્રી જિનાજ્ઞા પાલનપૂર્વક એક નાનામાં નાની ક્રિયા થાય તે પણ ચિત્તપ્રસન્ન થયા વિના રહે નહિં. ધર્માનુષ્ઠાન કરવા છતાં પણ જ્યાં સુધી ચિત્તપ્રસન્નના પ્રગટે નહિં ત્યાં સુધી સમજવું કે કયાંક ને કયાંક જિનાજ્ઞાપાલનમાં ખામી રહી ગઈ છે. જિનાજ્ઞાનું પાલન થાય અને ચિત્તપ્રસન્ન ન બને એ કદિ પણ બને જ નહિં. જિનાજ્ઞા
* तांस्तानापरमेश्वरादपि परान् भावः प्रसाद नयन् ,
तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् किमायास्यसि । हंतात्मानमपि प्रसादय मनाग् येनासतां संपदः, साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।
યોગશાસ્ત્ર ૧૨-૫૪