________________
૧૫
યોગશાસ્ત્રમાં ચિત્તપ્રસન્નતાનું માહાભ્ય.
આપણા જેવા પ્રમાદી માટે ચિત્ત પ્રસન્નતા એક અતિમહત્વની વસ્તુ બને છે. ગિસમ્રા, કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પિતે ચેલા શ્રી યોગશાસ્ત્રના સ્વાનુભવ નામના બારમા પ્રકાશમાં એજ વસ્તુની અતિવિશદ રીતે સ્પષ્ટતા કરી છે. હિતેપદેશ આપતાં તેઓશ્રીએ ત્યાં અંતિમ શ્લેકમાં ફરમાવ્યું છે કે “ હે ઐશ્વર્યયુકત આત્મન ! સુખપ્રાપ્તિ અને દુખને દૂર કરવાના ઉપાયને તું જાણતું નથી. અને તેથી તું ધન. યશ, વિદ્યા,રાજ્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે તથા રાગ, દારિદ્ર, ઉપદ્રવાદિ અનર્થોને દૂર કરવાના અભિપ્રાયથી આત્મા સિવાયના પર પદાર્થોને પ્રસન્ન કરવાને વૃથા પ્રયત્ન કરી તારા આત્માને નાહક કષ્ટ આપી રહ્યો છે. અર્થાત્ ધનાદિના પ્રાપ્તિથી તને સુખ મળવાનું નથી અને રેગાદિના નાશથી પણ તારૂં મૂળ દુખ ટળવાનું નથી. સુખ અને દુખની ઉત્પત્તિનું મૂળ સ્થાન તું જાણતું નથી, તેથી ખોટા માર્ગે નિરર્થક પ્રવૃત્તિ કરી તું નાહક તારા આત્માને ફલેશ જ પમાડે છે. માટે એ બધુ છોડીને એક આત્માને જ પ્રસન્ન કર. અર્થાત્ આત્મામાંથી રજોગુણ અને તમે ગુણને દૂર કરી તેને જરા પ્રસન્ન કર. તું એ પ્રમાણે આત્માને પ્રસન્ન કરીશ તે તેનાથી સંપત્તિ તે શું પણ પરમતિ સ્વરૂપ પરમાત્માનું પ્રચૂર સામ્રાજ્ય તને