________________
અરનાથ પ્રભુનો જન્મ થયે, પિતા તથા દેએ જન્મ મહોત્સવ ઉજવ્યો. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા, તેથી પુત્રનું નામ અરનાથ પાડયું. યૌવનવય થતાં અરનાથ ઘણું રાણીઓ પરણ્યા. ૨૧ હજાર વર્ષની ઉમર થતાં તેઓ પિતાની જગ્યાએ રાજ્યસન પર બિરાજ્યા. આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી તેઓ છ ખંડ છતી, ચક્રવર્તી થયા. ર૧ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. પછી દીક્ષા લેવાનો અભિલાષ થયો. વરસીદાન આપવું શરૂ કર્યું અને તે પછી માગશર શુદિ ૧૧ ના રોજ શ્રી અરનાથે સંયમ લીધે. ત્રણ વર્ષ છઘસ્થતાના વિતાવતાં કાર્તિક શુદિ ૧૨ ને દિવસે તેમને કેવલ્યજ્ઞાન થયું. પ્રભુના પરિવારમાં ૫૦ હજાર સાધુ, ૬૦ હજાર સાધ્વીઓ ૧૮૪ હજાર શ્રાવકે અને ૩૭૨ હજાર શ્રાવિકાઓ હતાં. તેમના સાધુ સંઘમાં ૨૬૦૦ અવધિજ્ઞાની, ૬૧૦ ચાદ પૂર્વધારી અને ૨૮૦૦ કેવળજ્ઞાની થયા. આખરે સમેત શિખર પર જઈ એક હજાર સાધુ સાથે શ્રી અરનાથે અનશન કર્યું. એક માસના અનશન પછી તે માગશર શુદિ ૧૦ ને દિવસે ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ (મોક્ષ) પામ્યા.
૨૬ અલખરાજ. એ વારાણશી નગરીના રાજા હતા. ભગવાન મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળતાં તેમને વૈરાગ્ય થયો, અને પિતાના મોટા પુત્રને રાજ્ય કાર્યભાર સેંપી તેઓ પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. ૧૧ અંગ ભણી ઘણાં વર્ષ સુધી ચારિત્ર પાળ્યું અને અંત સમયે વિપૂલ પર્વત પર જઈ સંથારે કરી મોક્ષમાં ગયા.
ર૭ અરિષ્ટનેમી ઉર્ફ શ્રી નેમિનાથ.
સાર્યપુર નગરને સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણીના એ પુત્ર, વર્તમાન ચોવીસીના ૨૨ મા તિર્થંકર થયા. તેઓ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી ચ્યવી, કારતક વદિ ૧૨ ના રોજ