________________
૪૭
એકવાર શ્રી ઋષભદેવ ઉદ્યાનમાં આવ્યા, ત્યાં વસંતૠતુમાં વિકસેલાં પુષ્પો ચુટીને આભરણુ બનાવતાં લોકોને જોઈ, વિચારમગ્ન થતાં તેમને પૂ` સ્મરણ થતાંની સાથે અવધિજ્ઞાન થયું, અને તેમાં તેમણે પૂર્વ ભવે અનુત્તર વિમાનમાં ભાગવેલું સુખ જોયું. તેમને સંસાર પર તિરસ્કાર આવ્યા અને ત્યાગના અભિલાષે મહેલમાં આવી વરસીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં પોતાના પુત્ર ભરતને રાજ્યાસને સ્થાપી તેઓ ચૈત્ર વદ ૮ મે દીક્ષિત બન્યા. સાધુને કેવા આહાર ખપે એનું જ્ઞાન લેાકાને ન હોવાથી ઋષભદેવને ખાર માસ સુધી ભિક્ષા મળી નહિ. પ્રભુની સાથે કચ્છ, મહાકચ્છ આદિ ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી, તે આ પરિસહ સહન ન કરી શકવાથી છુટા પડી વનમાં ચાલ્યા ગયા અને કંદમૂળ ફૂલ-ફળાદિને આહાર કરવા લાગ્યા. એક વર્ષને અ ંતે હસ્તિનાપુરમાં બાહુબળના પુત્ર સામપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસકુમારે વૈશાક દિ ૩ ના રાજ શેરડીના રસના ૧૦૮ ધડાની ભિક્ષા આપી, પ્રભુને પારણું કરાવ્યું.
દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે પુરિમતાલ નગરમાં ફાગણુ વિદ ૧૧ ના રાજ પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું.
તેમના સંધ પિરવારમાં પુંડરક વગેરે ૮૪ ગણધરા, ૮૪૦૦૦ સાધુ, બ્રાહ્મી આદિ ૩ લાખ સાધ્વી, ભરતાદિ ૩ લાખ ૫૦ હજાર શ્રાવકા અને સુંદરી આદિ ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકા હતા.
શ્રી ઋષભદેવે એક લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા, ૬ દિવસનું અનશન કર્યું અને મહા વિદ્ ૧૩ ના દિવસે મેાક્ષ પધાર્યાં, તેજ વખતે ખીજા ૧૦ હજાર મુનિ મેાક્ષે ગયા.